તાપીના વ્યારામાં વીજ કરંટથી માતા-પુત્રીનું મોત થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વ્યારાના જેસીંગપુરા ગામે કપડા સુકવતા સમયે વીજ વાયર અડી જતા માતા-પુત્રીનું મોત થયું છે. કપડા સુકાવવાના પાઇપ સાથે ઇલેક્ટ્રિક વાયરનો સંપર્ક થતા આ ઘટના બની હતી. આ ઘટનાને લઈને હાલ ગ્રામજનોમાં ગમગીની છવાઈ છે.













