નાના બાળકોની સંભાળ રાખવાની જવાબદારી તેમના માતાપિતાની હોય છે. પરંતુ આજે કામના લીધે માતાપિતા બાળકો પર ધ્યાન નથી આપી શકતા. જેનું પરિણામ ખૂબ જ ગંભીર આવતું હોય છે. માતાપિતાની ગંભીર બેદરકારી ક્યારેક બાળકો માટે જીવલેણ પણ સાબિત થાય છે. આવી જ એક ગંભીર અને દુ:ખદ ઘટના વલસાડમાંથી સામે આવી છે. વલસાડમાં દોઢ વર્ષના બાળકનું પડી જતા મોત થયું હતું.


નીચે પટકાતા બાળકનું મોત થયું

વલસાડ જિલ્લામાંથી એક દુ:ખદ ઘટના સામે આવી હતી. પાલિકાના કચરાના ટ્રેક્ટર પર એક દંપતિ કચરો લેવાનું કાર્ય કરતા હતા. તે દરમિયાન માતાપિતાએ તેમના દોઢ વર્ષના બાળકને ટ્રેક્ટરમાં બાંધેલી જોળીમાં રાખેલું હતું. જે દરમિયાન કરુણાંતિકા સર્જાઈ હતી. ડમ્પિંગ સાઈટ પર કચરો ઠાલવતી વખતે ઘટના બની હતી. ડમ્પિંગ સાઈટ પર કચરો ઠાલવતી વખતે ટ્રેકટરમાં બાંધેલી જોળીમાંથી બાળક નીચે પટકાયું હતું. જેના લીધે બાળક ગંભીર રીતે ઘવાયું હતું.

તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું

ટ્રેક્ટરમાંથી નીચે પટકાતા બાળક ગંભીર રીતે ઘવાયું હતું. બાળક પટકાયા બાદ તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. જે બાદ ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું. જેના લીધે માતાપિતા બાળકના મોતથી ખૂબ જ દુ:ખી થઈ ગયા હતા. તો આવી જ એક ઘટનામાં અમદાવાદમાં આવેલ અમરદીપ હોસ્પિટલમાં એક બાળકનું મોત થયું હતું. જ્યાં બાળકના પરિવારે ડોક્ટરની બેદરકારીથી મોત થયા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.


  • Follow us on: