• જાહેરમાં ગંદકી કરવા બદલ RMC દ્વારા પાંચ દુકાન સીલ
  • આ મુદ્દે નોટિસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ
  • ગંદકી ન કરવા સૂચના અપાયા છતાં અવગણના થતા કાર્યવાહી

રાજકોટમાં જાહેરમાં ગંદકી કરવા બદલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાંચ દુકાન સીલ કરવામાં આવી છે. આ દુકાનોમાં (1) ક્રિષ્ના ટી એન્ડ રેસ્ટોરન્ટ, (2) કનૈયા ટી, (3) ક્રિષ્ના પાન, (4) આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંકસ અને (5) જય દ્વારકાધીશ પાન દુકાનનો સમાવેશ થાય છે.

રાજકોટ શહેરમાં અતિથિ ચોક, નાના મૌવા રોડ પાસે, વોર્ડ નં.8 ખાતે આવેલ (1) ક્રિષ્ના ટી એન્ડ રેસ્ટોરન્ટ, (2) કનૈયા ટી, (3) ક્રિષ્ના પાન, (4) આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંકસ અને (5) જય દ્વારકાધીશ પાન, કુલ પાંચ શોપ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટિસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.28-08-2024ના રોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી તા.28-08-2024ના રોજ સાંજે (1) ક્રિષ્ના ટી એન્ડ રેસ્ટોરન્ટ, (2) કનૈયા ટી, (3) ક્રિષ્ના પાન, (4) આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંકસ અને (5) જય દ્વારકાધીશ પાન, કુલ પાંચ દુકાનોના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ – 1949ની કલમ – 376 “એ” હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

  • Follow us on: