• જયેશ રાદડિયા - નરેશ પટેલ વચ્ચે હવે બદલાની રાજનીતિ?

  • રાજકીય રીતે એક્ટિવ રહેવું જરૂરી: નરેશ પટેલ
  • જ્યારે જરૂર પડી છે ત્યારે જયેશ રાદડિયા સાથે ઉભા રહ્યા છીએ: નરેશ પટેલ

સૌરાષ્ટ્રમાં બે લેઉવા પાટીદાર અગ્રણી વચ્ચે ચાલી રહેલુ કોલ્ડવોર હવે સામે આવ્યું હોય તેવુ લાગી રહ્યું છે. લેઉવા પાટીદાર અગ્રણી જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે હવે બદલાની રાજનીતિ શરૂ થઈ હોય તેવુ લાગી રહ્યું છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નિવેદન આપ્યુ છે કે હું રાજકારણમાં જવાનો નથી, જેને જવાનું છે તેને સપોર્ટ કરીશ.

હું રાજકારણ નથી જવાનો: નરેશ પટેલ

નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે રાજકીય રીતે એક્ટિવ રહેવુ જરૂરી છે, જો એક્ટિવ ના રહીએ તો સામાજિક કામ ના થાય અને ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ. ખોડલધામ તરફથી કોઈ દ્વેષ કે કોઈ રાગ નથી. ઘરમાં કંઈ હોય જ નહીં ઘરમાં સમાધાન જ હોય. અમે જ્યારે જરૂર પડી છે ત્યારે જયેશ રાદડિયા સાથે ઉભા રહ્યા છીએ અને હું રાજકારણમાં જવાનો નથી પણ જેને જવાનું છે તેને સપોર્ટ કરીશ.

  • Follow us on: