ગોંડલમાં ફરી રાજકારણમાં ગરમી પ્રવર્તી છે. દુષ્કર્મના આક્ષેપ બાદ રીબડાના યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવક વિધાનસભાની ચૂંટણી દરમિયાન જયરાજસિંહનો સમર્થક હતો. આ ઘટના બાદ જયરાજસિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને મૃતકના પરિવાર સાથે મુલાકાત કરીને સાંત્વના આપી હતી. રીબડાના ગોવિંદ સગપરીયાએ અનિરૂદ્ધસિંહ જાડેજા સામે મૃતક યુવકને આપઘાત માટે મજબૂર કર્યાનો આક્ષેપ કર્યો હતો.
યુવક સામે અગાઉ એક સગીરા પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો













