- શિક્ષણની સાથે બાળકોની સલામતી પણ જરૂરી : DEO
- વ્યાયામ અને કસરત સમયે યોગ્ય તકેદારી રાખવી’
- આચાર્યની જેતપુર અને જસદણમાં બેઠક યોજાઇ હતી
રાજ્ય સરકારે હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજકોટ DEO દ્વારા તમામ શાળાના આચાર્યને સૂચના આપવામાં આવી છે કે, શિક્ષણની સાથે બાળકોની સલામતી પણ જરૂરી છે.
આ સાથે જ બળ પૂર્વકનું કામ બાળકો પાસે ન કરાવવા સૂચના આપવામાં આવી છે. જેની સાથે જ છેલ્લા થોડાં સમયથી બાળકોમાં પણ હાર્ટ એટેકની ઘટના વધી રહી છે. જેના કારણે શિક્ષણ વિભાગમાં પણ આચાર્યોને તાકીદ કરવામાં આવ્યા છે અને બાળકો સાથે યોગ્ય રીતે વર્તન કરવામાં આવે તેવી માહિતી આપવામાં આવી છે.













