રાજકોટમાં શહેરી વિસ્તારમાં વધારો થવાથી પાણીની માગ પણ વધી રહી છે. ભર ઉનાળામાં પાણીની તંગીની સ્થિતિ સર્જાતા શહેરી વિસ્તાર માટે જૂન મહિના સુધી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનો મહાનગર પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સરકારે પણ રાજકોટ શહેરને જરૂર પડ્યે સૌની યોજનામાંથી પાણી આપવાની ખાતરી આપી છે.


જૂન મહિનાના અંત સુધી પાણીની વ્યવસ્થા કરાઈ

રાજકોટ મહાનગર પાલિકાના વોટર વર્ક્સના ચેરમેન અશ્વિન પાંભરે કહ્યું હતું કે, રાજકોટ શહેરી વિસ્તારમાં જૂન મહિનાના અંત સુધી પાણીની વ્યવસ્થા કરાઈ છે. જિલ્લાના 3 ડેમોમાં જૂન સુધી ચાલે તેટલું પાણી છે. જો વરસાદ ખેંચાય તો સૌની યોજનામાંથી પાણી આપવાની સરકારે ખાતરી આપી છે. આ ઉપરાંત તેમણે લોકોને કરકસર પ્રમાણે પાણીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

તળને મજબૂત કરવા માટે બોર રિચાર્જ કરવા પણ સૂચના અપાઈ

તેમણે વધુમાં કહ્યુ હતું કે, તળને મજબૂત કરવા માટે બોર રિચાર્જ કરવા પણ સૂચના અપાઈ છે. કોર્પોરેશનમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જાહેર પ્લોટમાં બોર રિચાર્જ કરવાની કામગીરી પણ ચાલુ છે. રાજકોટમાં શહેરી વિસ્તારમાં વધારો થવાથી પાણીની માંગ વધી છે. ભર ઉનાળામાં લોકોને પાણી કાપ વેઠવો પડ્યો છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા જૂન સુધીમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.


  • Follow us on: