27 જુનના રોજ રથયાત્રા યોજવામાં આવશે. જેને લઇને અમદાવાદમાં તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આ રથયાત્રા માટે ભગવાનનો શ્રૃંગાર, રથની તૈયારી વગેરેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ રથયાત્રા પહેલા જળયાત્રા યોજવામાં આવશે. જેને લઇને ખાસ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. આ જળયાત્રા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત સંતો-મહંતો અને રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે.


રથયાત્રા પહેલા યોજાશે જળયાત્રા

દરવર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રથયાત્રા પહેલા જળયાત્રા યોજવામાં આવે છે. જળયાત્રાને લઇ રુટમાં ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ જળયાત્રામાં 108 કળશમાં સાબરમતી નદીનું પાણી લાવવામાં આવે છે. અને તેને મંદિરમાં મુકવામાં આવે છે. 108 કળશમાં લાવેલા પાણીથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવે છે. અને શંખ વગાડવામાં આવે છે. આ જળાભિષેક માટે એક જૂની માન્યતા પ્રસિદ્ધ છે. ભગવાનને ઠંડક મળે તે માટે આ 108 કળશમાં નદીનું પાણી લાવવામાં આવે છે. અને ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે.

રાજકીય આગેવાનોને આમંત્રણ

અમદાવાદમાં યોજાતી રથયાત્રા એ શહેરની આગવી ઓળખ છે. જેને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રની હસ્તિઓને પણ આમંત્રણ આપવામાં આવે છે. જળયાત્રા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આમંત્રણ આપવામાં આવ્યુ છે. અને તેમની સાથે જળયાત્રામાં સંતો તથા મહંતો ઉપસ્થિત રહેશે. અને રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. સામાન્ય જનતાને જળયાત્રા દરમિયાન કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રુટ ડાયવર્ઝન પણ આપવામાં આવે છે. હાલ રથયાત્રાના રુટમાં વિવિધ સ્થળોએ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. 

  • Follow us on: