સાવરકુંડલામાં એપીએમસીના ડિરેક્ટર અંકુર રામાણીએ પોતાના ઘરે વહેલી સવારે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. તેમની પત્ની રિસમણે હોવાથી તેમણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે. મૃતક અંકુર રામાણીની એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


સાવરકુંડલાના પિયાવા ગામે આપઘાત કર્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે સાવરકુંડલા એપીએમસીના 32 વર્ષના ડિરેક્ટર અંકુર રામાણીએ પોતાના ઘરે વહેલી સવારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સાવરકુંડલાના પિયાવા ગામે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. સાવરકુંડલાના વંડા ગામે સરકારી દવાખાનામાં અંકુર રામાણીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા તજવીજ હાથ ધરાઈ છે.

આવતીકાલે એપીએમસીનું કામ બંધ રહેશે

પોલીસની તપાસમાં અંકુર રામાણીએ આપઘાત કરતા પહેલા લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. અંકુર રામાણીને તેમના પત્ની રિસામણે હોવાથી તેનું ટેન્શન હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. મૃતક અંકુરભાઈને ચાર બહેનો અને પોતે એક જ ભાઈ હોવાની માહિતી મળી છે. આ ઘટના બાદ સાવરકુંડલા એપીએમસી દ્વારા આવતીકાલે એપીએમસીનું કામ બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે.


  • Follow us on: