સુરત શહેરમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. આજે ઈદનો તહેવાર હોવાથી મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ નીકાળવામાં આવ્યું હતું. જુલુસ સૈયદપુરા વિસ્તારમાંથી નીકળ્યું હતું. જેમાં હિન્દુ મહંતો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા. જેથી બંને સમાજની એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.


પોલીસ કમિશનરે જુલુસને બતાવી લીલી ઝંડી

થોડા દિવસ પહેલા જ ગણેશ પંડાલ પર પથ્થર મારવાની ઘટનાને લઈ બંને સમાજના જૂથો વચ્ચે ધીંગાણું થયું હતું, જેને લઈને તંગદીલી જોવા મળી રહી હતી. પરંતુ સુરત પોલીસની મધ્યસ્થીને લઈને બંને સમાજના અગ્રણીઓ વચ્ચે શાંતિ મંત્રણા કરવામાં આવી હતી અને ઈદના તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને તકેદારી રાખવામાં આવી હતી.

આજે ઈદના તહેવારને લઈને મુસ્લિમ સમાજ દ્વારા સૈયદપુરા વિસ્તારમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં મુસ્લીમ સમાજના ભાઈઓ જોડાયા હતા. જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓએ સહકાર આપ્યો હતો. જેથી શાંતિપૂર્ણ રીતે સૈયદપુરા વિસ્તારમાંથી જુલુસ નીકળ્યું હતું. સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી પણ હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા તમામ લોકોને શાંતિની અપીલ કરવામાં આવી હતી.

  • Follow us on: