- ભરતી મેળામાં સ્ટેજ પર બુટલેગરને બેસાડાતા ચર્ચા
- 8 જેટલા ગુનાના આરોપીનું બુકે આપી સ્વાગત કરાયું
- બુટલેગરનું સ્વાગત કરાતા વિપક્ષે સવાલ ઉઠાવ્યા
છોટાઉદેપુર ભાજપના કાર્યાલય ખાતે ભરતી મેળામાં અલીરાજપુરના વતની અને ગુજરાતમાં 8 જેટલા પ્રોહિબિશના ગુનાના આરોપી બુટલેગરને સ્ટેજ પર બેસાડ્તા વિવાદ સામે આવ્યો છે. એટલું જ નહીં મધ્ય ઝોનના પ્રભારી અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા હાજરીમાં કુખ્યાત બુટલેગરનું ગુલાબનું ફૂલ આપીને સન્માન કરી રહ્યા છે.














