- રાજ્યનાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદારોની બદલી
- અન્ય જીલ્લાઓમાં સ્વ-વિનંતીનાં કિસ્સામાં ફેરબદલી કરવામાં આવી
- લાંબા સમયથી રાજ્યના મહેસુલ વિભાગમાં હતી બદલીની માંગણીઓ
રાજ્યમાં આગામી વર્ષે ચૂંટણી પૂર્વે બદલીઓનો દોર શરૂ થયો છે. જેમાં એક સાથે મહેસુલ વિભાગે 206 બદલીના ઓર્ડર થતાં જ ખળભળાટ મચી ગઈ છે. જેમાં મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત બદલીમાં મોટા પાયે જિલ્લાફેર સાથે બદલીઓ કરવામાં આવી છે.
દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તેના પહેલાં રાજય સરકાર દ્વારા અધિકારીઓની મોટાપાયે બદલી કરવામાં આવી છે. આ બદલી અંગે માહિતી અનુસાર, અધિકારીઓની સ્વવિનંતીથી બદલીઓ કરવામાં આવી છે. આ વચ્ચે 206 જેટલા નાયબ મામલતદારોની જિલ્લાફેર બદલીઓ કરવામાં આવી છે.













