• અકસ્માત કરી PCR વાહન ચાલક ફરાર
  • સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે
  • પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથધરી

વડોદરા શહેરના આજવાની નિમેટા રોડ પર ગંભીર અકસ્માત થયો હતો,જેમાં પોલીસની પીસીઆર વાનની અડફેટે એક યુવાનનુ મોત થયુ છે,ગત બપોરના એક વાગ્યાની આસપાસ આજવા નિમેટા રોડ પર થયો હતો અકસ્માત થયો હતો,અકસ્માત બાદ પોલીસની વાત અકસ્માત કરીને ફરાર થઈ ગઈ હતી,તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

પોલીસે નોંધી ફરિયાદ

સમગ્ર ઘટનામાં પીસીઆર વાનના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાઈ છે.પોલીસની GJ 06 GA 3019 નંબરની પીસીઆર વાન ચાલક ટક્કર મારીને પીસીઆર વાહન લઈ સ્થળથી ફરાર થઈ ગયા હતા,પોલીસની સામે પરિવારનો આક્ષેપ છે કે ડ્રાઈવરની સામે ફરિયાદ નોંધાઈ પણ હજી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી,ડ્રાઈવર સામે કડકમાં કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરાઈ છે.તો સાથે સાથે ડ્રાઈવરને પણ સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી છે.

23 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદમાં પોલીસકર્મીએ કર્યો અકસ્માત

નવરંગપુરામાં સ્વસ્તિક ચાર રસ્તા નજીક હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ પોલીસ હેડ કોન્સ્ટેબલને પકડીને ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો. સાથે જ તપાસ કરતા તેની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. હાલ તો હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ બી ડિવિઝન વિભાગમાં ગુનો નોંધાયો હતો. ટ્રાફિક પોલીસે હેડ કોન્સ્ટેબલની અટકાયત કરી વધુ તપાસ હાથધરી હતી.

વડોદરામાં પોલીસની વાનમાં પોલીસકર્મીઓ માણતા હતા દારૂની મહેફિલ

દારૂબંધીનો અમલ કરાવવાની જેની ફરજ છે તે પોલીસ જ PCR માં દારૂની મહેફિલ માણતી ઝડપાઇ છે. વડોદરાના જેપી પોલીસ મથક વિસ્તારમાં સી ટીમની PCR વાનના હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીસીઆર વાન નંબર GJ 06 GA 3259ને પોલીસ મથકે લાવી હેડ કોન્સ્ટેબલ નવદિપસિંહ સરવૈયા તેમજ તેમના બે મિત્રોની સાકીર મણિયાર અને માલવ કહારની નશાની હાલતમાં ધરપકડ કરી તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.

 

  • Follow us on: