રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજયમાં ફાયર સેફ્ટી અંગે તપાસ શરૂ કરાઈ હતી.ત્યારબાદ રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગની ઘટના બનતાં ફરીવાર ફાયર સેફ્ટી અંગે સવાલો ઉભા થયા હતાં.આ ઘટના બની ત્યાં સુધી મહાનગર પાલિકા કચેરી પાસે જ ફાયર એનઓસી નહોતુ.પરંતુ હવે નવા નિયમો પ્રમાણે મનપાને પ્રપોઝ એનઓસી આપવામાં આવ્યું છે.જેથી મનપા કચેરીમાં ફાયર સેફ્ટિના સાધનોનું ઈન્સ્ટોલેશન શરૂ કરવામાં આવ્યું છે.
સાધનો લગાવ્યા બાદ ફાઈનલ એનઓસી આપવામાં આવશે













