• ધારની ભોજશાળામાં ASIની ટીમ સવારે 7.14 વાગ્યે ભોજશાળા પરિસરમાં પ્રવેશ કર્યો હતો
  • 2003થી ભોજશાળામાં હિન્દુઓ મંગળવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પરિસરમાં પૂજા કરે છે
  • 2003થી ભોજશાળામાં મુસ્લિમો શુક્રવારે બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી નમાઝ અદા કરે છે

મધ્યપ્રદેશમની ધાર ભોજશાળામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના સર્વેનો આજે પાંચમો દિવસ છે. ASIની ટીમ સવારે 7.14 વાગ્યે ભોજશાળા પરિસરમાં પ્રવેશી હતી. તેનું કારણ હતું મંગળવારે પૂજા. હકીકતમાં, વર્ષ 2003માં કરવામાં આવેલી વ્યવસ્થા અનુસાર, ભોજશાળામાં હિન્દુઓ મંગળવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પરિસરમાં પૂજા કરે છે. જ્યારે મુસ્લિમો શુક્રવારે બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી નમાઝ અદા કરે છે.

હિન્દુ અનુયાયીઓ હનુમાન ચાલીસાના પાઠ અને પૂજા કરવા ભોજશાળા પહોંચ્યા

આજે મંગળવાર હોવાથી મોટી સંખ્યામાં હિન્દુ અનુયાયીઓ હનુમાન ચાલીસાના પાઠ અને પૂજા કરવા ભોજશાળા પહોંચ્યા હતા. સર્વેની કામગીરી શરૂ થાય તે પહેલા અને મંગળવાર હોવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મહિલા ભક્તોએ બેન્ક્વેટ હોલની બહાર જ્યોતિ મંદિરમાં નાચ-ગાન કરીને સર્વેની પ્રક્રિયાને આવકારી હતી. હિંદુ ભક્તોનું માનવું છે કે સર્વેથી મંદિર જવાનો રસ્તો ખૂલી જશે.


ભોજ ઉત્સવ સમિતિના ઉપપ્રમુખ બલવીર સિંહે જણાવ્યું

આ અંગે ભોજ ઉત્સવ સમિતિના ઉપપ્રમુખ બલવીર સિંહે જણાવ્યું હતું કે, સર્વેમાં સારો ઉકેલ આવશે. આજે પૂજા અને આરતી થઈ. તમને જણાવી દઈએ કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની એક ટીમ 22 માર્ચથી શરૂ થયેલા સર્વેક્ષણ માટે મધ્યપ્રદેશના ધારમાં ભોજશાળા પરિસર પહોંચી છે. ધારની ભોજશાળા મંદિર છે કે મસ્જિદ? ચાર દિવસથી દિલ્હી અને ભોપાલની ASIની ટીમો ભોજશાળામાં સર્વે કરી રહી છે. આજે સર્વેનો પાંચમો દિવસ છે. આ વૈજ્ઞાનિક સર્વે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચના આદેશ પર કરવામાં આવી રહ્યો છે.

  • Follow us on: