- ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી મણિપુરની મુલાકાતે
- મણિપુરમાં હિંસા મુદ્દે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે
- 23 અને 24 ઓગસ્ટે અધિકારીઓ સાથે જનરલ દ્વિવેદીની બેઠક
ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી મણિપુરની મુલાકાતે જઈ રહ્યા છે અને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જનરલ દ્વિવેદી 23 ઓગસ્ટે શિલોંગ પહોંચશે અને ત્યાંના અધિકારીઓ સાથે વાત કરશે. તે બીજા જ દિવસે મણિપુર જશે. જનરલ દ્વિવેદી 23 અને 24 ઓગસ્ટે આસામ રાઈફલ્સના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે.
મણિપુર 3 મે, 2023 થી સતત હિંસા ભડકી રહી છે. અહીં અત્યાર સુધીમાં 220 થી વધુ લોકોના મોત થયા છે અને 50 હજારથી વધુ લોકો રાજ્ય છોડીને ભાગી ગયા છે. સુરક્ષા માટે, આસામ રાઇફલ્સ બટાલિયન મણિપુરમાં મોરચો સંભાળી રહી છે, પરંતુ આ દરમિયાન કેન્દ્ર સરકારે ત્યાંથી બે બટાલિયનને હટાવવાનો નિર્ણય લીધો છે અને તેમની જગ્યાએ CRPF જવાનોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય બાદ આર્મી ચીફની મણિપુર મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે.













