• બિહાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અનિલ કુમાર શર્માનું રાજીનામું
  • સીટોની વહેંચણીના કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં નારાજગી
  • "સરળતાથી જીતી શકાય તેવી બેઠકો પાર્ટી પાસેથી છીનવી"

લોકસભાની ચૂંટણી માટે દરેક પક્ષો જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. આ દરમિયાન પાર્ટીઓમાં નેતાઓની બદલીઓ થઈ રહી છે. તેવામાં બિહાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અનિલ કુમાર શર્માએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. અનિલ શર્માએ કહ્યું કે સીટોની વહેંચણીના કારણે પાર્ટી કાર્યકર્તાઓમાં નિરાશા છે.

અનિલ શર્માએ કહ્યું કે, કોંગ્રેસને એવી બેઠકો આપવામાં આવી છે જ્યાં જીતવું મુશ્કેલ છે, જ્યારે સરળતાથી જીતી શકાય તેવી બેઠકો પાર્ટી પાસેથી છીનવી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે કોંગ્રેસને નબળી બેઠકો આપી છે. આ તેમની સારી રીતે વિચારેલી વ્યૂહરચના છે, જેથી કોંગ્રેસ બિહારમાં હાંસિયામાં ધકેલાઈ જાય.

  • Follow us on: