ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યુ હોવાનું સામે આવ્યું છે. ગંગોત્રી ધામ અને મુખવા પાસે ધરાલી ગામમાં મંગળવારે વાદળ ફાટતા એક નહેરનું પાણી બહુ ઝડપથી પહાડથી નીચેના વિસ્તારોમાં ધસી આવ્યું. આ ઘટના ઘણી ગંભીર છે. નહેરના પાણીની સાથે ઘણો કાટમાળ પણ આવ્યો છે. આશંકા છે કે જેમાં કેટલાક લોકો દટાયા હોઇ શકે, 60 લોકો ગુમ થયા હોવાની આશંકા જણાઇ રહી છે. જ્યારે 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ 100 લોકો ફસાયા છે.

India Weather Forecast : કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી, હિમાચલમાં ઓરેન્જ એલર્ટ, જાણો દેશભરના હવામાનની સ્થિતિ












