ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આસાથે જ યુપી, બિહાર સહિત 14 રાજ્યોની પેટચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ તેમાં એક છે વાયનાડ લોકસભા બેઠકની ચૂંટણી. ચૂંટણી પંચે વાયનાડ બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે ત્યારે સવાલ એ થાય કે વાયનાડમાં પેટા ચૂંટણી કેમ. આવો જાણીએ કેમ અને ક્યારે યોજાશે ચૂંટણી.


વાયનાડમાં યોજાશે પેટાચૂંટણી

કેરળમાં એકમાત્ર લોકસભા સીટ માટે પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. મંગળવારે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ દરમિયાન ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત દેશભરના વિવિધ રાજ્યોમાં 48 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠકો માટેની પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી હતી. વાયનાડ એ બે લોકસભા બેઠકોમાંથી એક છે જેના માટે પેટાચૂંટણી યોજાવાની છે. કેરળની વાયનાડ સીટ પર 11 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે.

કેમ યોજાશે પેટાચૂંટણી ?

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણીમાં આ સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. જોકે વાયનાડ સિવાય રાહુલ ગાંધી અમેઠી લોકસભા સીટ પરથી પણ ચૂંટણી લડ્યા હતા. જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે તેમણે બંને બેઠકો જીતી લીધી હતી. આ પછી રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પરથી જ સાંસદ રહેવાની જાહેરાત કરી હતી. આથી વાયનાડ બેઠક ખાલી પડી. રાહુલ ગાંધીએ વાયનાડ સીટ છોડ્યા બાદ આ સીટ ખાલી પડી હતી. જો કે, ચૂંટણી પંચે આજે વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણીની તારીખ પણ જાહેર કરી છે. એવી અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસ આ વખતે પ્રિયંકા ગાંધીને વાયનાડ સીટ પરથી ઉતારી શકે છે.

  • Follow us on: