• ચારધામ યાત્રામાં હાર્ટ ફેલ થવાના કેસ વધ્યા
  • અત્યાર સુધીમાં કુલ 52 લોકોના મોત
  • છાતીમાં દુઃખાવો, ચિંતા અને હાર્ટ એટેકના કેસ

ચારધામ યાત્રા કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. ચાર ધામના દર્શન કરવામાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાને લઇને ઉત્તરાખંડ સરકાર પણ ખડેપગે જોવા મળી રહ્યુ છે. યાત્રીઓને કોઇ તકલીફ ન પડે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં આશરે 50થી વધુ  લોકોના મોત નીપજ્યા છે.

ચારધામ યાત્રામાં અત્યાર સુધી કેટલા લોકોના મોત ?

બદ્રીનાથ

બદ્રીનાથ ધામમાં દર્શન કરવા આવેલા 4 તીર્થ યાત્રીઓના મોત થયા છે. હૃદયગતિ બંધ થઇ જતા તેઓનો મોત થયા હોવાનું સામે આવ્યું છે. બદ્રીનાથ ધામની યાત્રાએ આવેલા કેરળના એક ભક્તનું ગુરુવારે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. પરિવારના સભ્યોએ વિષ્ણુપ્રયાગમાં જ અંતિમ સંસ્કાર કર્યા હતા. અત્યાર સુધીમાં બદ્રીનાથ ધામમાં 14 તીર્થયાત્રીઓના હાર્ટ ફેલ થવાને કારણે મોત નીપજ્યા છે.

  • કેદારનાથ- 23 શ્રદ્ધાળુઓ
  • ગંગોત્રી-03 શ્રદ્ધાળુઓ
  • યમુનોત્રી-12 શ્રદ્ધાળુઓ

ઉલ્લેખનીય છે કે કેદારનાથમાં છેલ્લા 10 વર્ષમાં 350 થી વધુ શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા છે, જેનું મુખ્ય કારણ છાતીમાં દુખાવો, ચિંતા અને હાર્ટ એટેક છે. 

  • Follow us on: