• ચારધામ યાત્રાને લઇને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ
  • લાખોની સંખ્યામાં યાત્રીઓ કરી રહ્યા છે દર્શન
  • ચારધામના દર્શન કરવા ઉમટ્યા છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ

બદ્રીનાથ ધામની યાત્રાએ હવે વેગ પકડ્યો છે. રવિવારે 28 હજારથી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા. આ એક નવો રેકોર્ડ છે. યાત્રાના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે એક જ દિવસમાં આટલા ભક્તો ધામમાં પહોંચ્યા હોય. બદ્રીનાથ પહોંચનારા શ્રદ્ધાળુઓની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે.

દર્શન કરવા લાંબી લાઇન લાગી

મહત્વનું છે કે 12મેથી બદ્રીનાથ ધામની યાત્રા શરૂ થઇ હતી. શરૂઆતના 4 દિવસ યાત્રા ધીમી રહી પરંતુ હવે યાત્રા નવો રેકોર્ડ બનાવી રહી છે. શનિ અને રવિવારે બદ્રીનાથ ધામમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર્શન માટે લગભગ અઢી કિમી લાંબી લાઇન લાગી હતી.

રવિવારે 28 હજાર ભક્તોએ કર્યા દર્શન

બદ્રીનાથ મંદિરથી ઈન્દ્રધારા સુધી ભક્તોની કતાર જોવા મળી હતી. સવારથી શરૂ થયેલી કતાર મોડી સાંજ સુધી પૂરી થઈ ન હતી. રવિવારે 28,055 ભક્તો ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં ધામમાં પધારેલા ભક્તોની સંખ્યા 1,20,757 પર પહોંચી ગઈ છે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના મીડિયા પ્રભારી ડૉ. હરીશ ગૌરે જણાવ્યું કે રવિવારે 28 હજાર શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા. અત્યાર સુધીમાં એક દિવસમાં ધામની મુલાકાત લેનાર આ સૌથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે. અત્યાર સુધીમાં 1 લાખ 20 હજાર ભક્તો ધામ પહોંચ્યા છે.

  • Follow us on: