- છત્તીસગઢના સરહદી વિસ્તારમાં જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ
- ઘર્ષણાં સુરક્ષા જવાનોએ 7 નક્સલવાદીઓને ઠાર માર્યા
- ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા જવાનોએ કર્યું હતું સર્ચ ઓપરેશન
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં ગુરુવારે સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે એન્કાઉન્ટર થયું ત્યારે સુરક્ષા જવાનોની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી કામગીરીમાં રોકાયેલી હતી.
મળતી માહિતી મુજબ, SP પ્રભાત કુમારે પુષ્ટિ કરી છે કે, 'માઓવાદી યુનિફોર્મ'માં 7 નક્સલવાદીઓ અત્યાર સુધીમાં માર્યા ગયા છે. આ ઓપરેશન ઈન્દ્રાવતી એરિયા કમિટીના કેડર અને માઓવાદીઓની પ્લાટૂન નંબર 16ની હાજરી અંગેની ગુપ્ત માહિતીના આધારે શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશનમાં દંતેવાડા, નારાયણપુર અને બસ્તર જિલ્લાના જિલ્લા રિઝર્વ ગાર્ડ, બસ્તર ફાઇટર્સ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સહિત વિવિધ રાજ્ય પોલીસ એકમોના કર્મચારીઓ સામેલ હતા. એન્કાઉન્ટર સ્થળ પરથી સાત હથિયારો મળી આવ્યા છે.













