• મમતા બેનર્જી પર આપત્તિજનક ટિપ્પણીનો મામલો
  • ટીએમસીએ ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ
  • ટિપ્પણી આપત્તિજનક અને અપમાનજનક ગણાવી

ભાજપ સાંસદ દિલીપ ઘોષ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થઇ છે. ટીએમસી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં આપો લગાવ્યો છે કે મમતા બેનર્જી પર વ્યક્તિગત પ્રહાર કરનાર અપમાનજનક અને આપત્તિજનક ટિપ્પણી છે.. સાથે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ હોવાનું પણ જણાવ્યું.

ટીએમસીએ કરી ફરિયાદ

ભાજપના ઉમેદવાર દિલીપ ઘોષે ગઈકાલે 26 માર્ચ 2024ના રોજ સીએમ મમતા બાનાજીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જે બાદ પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયું છે. આ અંગે આગેવાનોમાં બોલાચાલી શરૂ થઈ હતી. આ પછી મંગળવારે ટીએમસી પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસે પહોંચી અને બીજેપી સાંસદ દિલીપ ઘોષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

શું છે ટીએમસીનો આરોપ ?

ટીએમસીએ દિલીપ ઘોષના નિવેદન પર કહ્યું કે આવી અપમાનજનક ટિપ્પણીઓમાં માત્ર શિષ્ટાચારનો અભાવ નહી, પરંતુ તે એક અગ્રણી રાજકીય વ્યક્તિની ગરિમાની સ્પષ્ટ અવગણના પણ દર્શાવે છે. ટીએમસીએ વધુમાં જણાવ્યું તે ઘોષની ટિપ્પણીઓ માત્ર શિષ્ટાચારની સીમાઓને જ ઓળંગતી નથી, પરંતુ સત્તાના હોદ્દા પર મહિલાઓ પ્રત્યે દુર્વ્યવહાર અને અનાદરની સંસ્કૃતિને પણ કાયમી બનાવે છે.


  • Follow us on: