મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તુર્કીયે અને અઝરબૈજાન અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન અને આતંકવાદને ટેકો આપતા દેશોનો વિરોધ થવો જોઈએ અને હું એવા લોકોના નિર્ણયનું સ્વાગત કરું છું


જેઓ પોતાના દમ પર આવા નિર્ણયો લઈ રહ્યા છે. હકીકતમાં, તણાવના સમયે પાકિસ્તાનને ડ્રોન મોકલ્યા બાદ તુર્કીયે ભારતમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

તુર્કીયેથી આયાત થતા માલનો પણ કરવામાં આવી રહ્યો છે બોયકોટ 

ફળોથી લઈને સૂકા ફળો અને માર્બલથી લઈને અન્ય વસ્તુઓ સુધી, દરેક વસ્તુનો બોયકોટ કરવામાં આવી રહ્યો છે. લોકોએ તુર્કી અને અઝરબૈજાન માટે પોતાના બુકિંગ રદ્દ કર્યા છે. આનાથી તુર્કીયે અને અઝરબૈજાનના પ્રવાસન ક્ષેત્રને ભારે ઝટકો પડ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ટર્કિશ સફરજનનો બોયકોટ કરવા બદલ પુણેના વેપારીઓની પ્રશંસા કરી.

આપણો અભિગમ 'રાષ્ટ્ર પ્રથમ' હોવો જોઈએ

હું તે તમામ વેપારીઓને અભિનંદન આપું છું જેમણે તુર્કીયેથી આયાતનો બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે. આ સમયે આપણો સ્ટેન્ડ 'રાષ્ટ્ર પ્રથમ' હોવો જોઈએ. પહલગામમાં હત્યાકાંડનું કાવતરું ઘડનારાઓને જ નહીં, પરંતુ તેમને ટેકો આપનારા દેશોને પણ પાઠ ભણાવવાની જરૂર છે. નાગરિકોમાં 'રાષ્ટ્ર પ્રથમ' ની આ કુદરતી લાગણીનું હું સ્વાગત કરું છું.

પાકિસ્તાન આપણને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં

તેમણે કહ્યું કે ભારત એક એવો દેશ છે જેણે પાકિસ્તાનમાં ઘૂસીને તેનો નાશ કર્યો. અન્ય મીડિયાએ પણ સેટેલાઇટ ચિત્રો બતાવીને પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. પાકિસ્તાન આપણને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં. પોકળ ધમકીઓનો શિકાર બનવાની કોઈ જરૂર નથી. સરકાર સુરક્ષા પૂરી પાડશે અને દરેક વ્યક્તિએ પોતાના 'રાષ્ટ્ર પ્રથમ' વલણ પર વળગી રહેવું જોઈએ.


  • Follow us on: