• ખેડૂતોની આવક વધારવા સરકાર રહે છે સતત પ્રયત્નશીલ

  • ચોખાની કિંમતોમાં 4થી 5 ટકાનો થઈ શકે છે વધારો
  • દેશમાં 3 દાળની કિંમતોમાં ઘટાડો જોવા મળશે

ખેડૂતોની કમાણી વધારવા માટે સરકાર સમય સમય પર ઘણા પ્રયત્નો કરતી રહે છે. ખેડૂતોને આ કડીમાં મોટી ભેટ આપતા સરકાર દાળનું ઉત્પાદન વધારવા માટે અડદ અને તુવેર દાળના MSPમાં 10 ટકા સુધીનો વધારો કરી શકે છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેની સાથે સોયાબીન અને સનફ્લાવર તેલમાં 5થી 7 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે.

કેબિનેટ એક અઠવાડિયામાં તેને મંજૂરી આપી શકે છે. આ વર્ષે સરકાર બોનસની પણ જાહેરાત કરી શકે છે. CACPએ સરકારને પોતાની ભલામણોમાં કહ્યું છે કે તુવેર અને અડદ દાળનું ઉત્પાદન ઓછું થવું ચિંતાજનક છે. ચોખાની કિંમતોમાં 4થી 5 ટકાનો વધારો થઈ શકે છે. સરકાર ચોખા સહિત 14 પાકોની MSP નક્કી કરે છે.

સરકાર દર વર્ષે 23 પાક માટે MSPની કરે છે જાહેરાત

કૃષિ ખર્ચ અને કિંમત કમિશનની ભલામણના આધાર પર સરકાર દર વર્ષે 23 પાક માટે MSPની જાહેરાત કરે છે. CAPC કૃષિ મંત્રાલય અંતર્ગત આવતુ આયોગ છે. CAPC 23 પાક પર એમએસપીની ભલામણ કરે છે. તેમાં 7 અનાજ, 5 દાળ, 7 તેલીબિયાં અને 4 કોર્મશિયલ પાક સામેલ છે.

મોંઘવારી ઓછી કરવા માટે સરકારે બનાવી લીધો ફૂલપ્રૂફ પ્લાન

દાળ પર મોંઘવારી ઓછી કરવા માટે સરકારે ફૂલપ્રૂફ પ્લાન બનાવી લીધો છે. સંબંધિત વિભાગના અધિકારીઓએ દાવો કર્યો છે કે દેશમાં 3 દાળની કિંમતોમાં ઘટાડો જોવા મળશે. જેમાં અળદ, ચના અને અરહરની દાળ છે. જેની કિંમત છેલ્લા 6 મહિનામાં ના વધી હોય પણ વધારે હોય. સરકારનું કહેવું છે કે હાલના સમયમાં એવા કેટલાક ઉપાય કરવામાં આવી રહ્યા છે, જેનાથી આ ત્રણ દાળની કિંમતમાં ઘટાડો જોવા મળશે.


  • Follow us on: