પાકિસ્તાનમાં ભારતે કરેલા હવાઇ હુમલા બાદ સમગ્ર દુનિયામાંથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ત્યારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં માર્યા ગયેલા નેવી લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની હિમાંશીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. હિમાંશી સ્વામી નરવાલે કહ્યું હતુ કે, મારા પતિ સેનામાં એટલા માટે જોડાયા હતા કે દેશમાં શાંતિ રહે અને આતંકવાદીઓનો નાશ થાય. આ વાતચીત દરમિયાન હિમાંશી પણ રડી પડી. આ સાથે, તેણીએ ભારત સરકાર પાસે તેના પતિને શહીદનો દરજ્જો આપવાની માંગ પણ કરી હતી.
દેશની સેનાનો આભારઃ હિમાંશી સ્વામી
હિમાંશીએ કહ્યું કે તે "ઓપરેશન સિંદૂર" માટે પીએમ મોદી અને દેશની સેનાનો આભાર માને છે. તેણી કહે છે કે ભારતીય સેનાની આ કાર્યવાહી અહીં અટકવી ન જોઈએ, તે ઇચ્છે છે કે આતંકવાદ સંપૂર્ણપણે નાબૂદ થાય. હિમાંશીએ કહ્યું કે આ ઓપરેશન દરમિયાન ભલે તેનો પતિ જીવિત ન હતો, પણ તેનો આત્મા અહીં હતો. હું ભગવાન પાસેથી આશા અને અપેક્ષા રાખું છું કે વિનયના આત્માને શાંતિ મળી હોય અને જેમણે નિર્દોષ લોકોની હત્યા કરી હોય અને પરિવારોને બરબાદ કર્યા હોય, તેમને સૌથી કઠોર સજા મળે. હિમાંશીએ કહ્યું કે તે ઇચ્છે છે કે આતંકવાદ સંપૂર્ણપણે નાબૂદ થાય જેથી અન્ય કોઈ વ્યક્તિને તેના જેવા તબક્કામાંથી પસાર થવું ન પડે.
"ઓપરેશન સિંદૂર" સાચું નામ છેઃ હિમાંશી સ્વામી
આ હવાઈ હુમલાને "ઓપરેશન સિંદૂર" નામ આપવા અંગે હિમાશીએ કહ્યું કે આ નામ સાચું છે કારણ કે હું આ નામ સાથે જોડાયેલી છું. મારા હમણાં જ લગ્ન થયા હતા અને મારું જીવન છીનવાઈ ગયું હતું. મારું જીવન એક જ ક્ષણમાં ઊંધું થઈ ગયું. પહેલગામમાં માર્યા ગયેલા બધા લોકો, તેમની પત્નીઓ અને પરિવારોએ ઘણું સહન કર્યું છે. આ ઓપરેશન દર્શાવે છે કે ભવિષ્યમાં આવું કંઈ ન થવું જોઈએ. જેથી પત્ની અને પરિવારને પીડામાંથી પસાર થવું ન પડે.
લોકોની વિચારસરણી બદલી શકાતી નથીઃ હિમાંશી સ્વામી
કાશ્મીરીઓ અને મુસ્લિમો પરના તેમના નિવેદન માટે ટ્રોલ થવા પર, તેણીએ કહ્યું કે હું કોઈની વિચારસરણી બદલી શકતી નથી. હું આટલું જાણું છું કે કોઈ પણ વ્યક્તિ સાથે ખોટું ન કરવું જોઈએ. હિમાંશીએ તેના પતિ વિનય નરવાલને શહીદનો દરજ્જો આપવાની માંગ કરી હતી. તેણીએ કહ્યું કે જો મારા પતિ પાસે ઘટના દરમિયાન હથિયાર હોત તો તે ચોક્કસપણે આતંકવાદીઓને જવાબ આપત. આમ, તે આ દેશના સર્વોચ્ચ સન્માનને પાત્ર છે. આ ઘટનાને યાદ કરતાં હિમાંશીએ કહ્યું કે જ્યારે પહેલગામમાં હુમલા દરમિયાન તેના પતિને ગોળી વાગી હતી, ત્યારે તેણે આતંકવાદીઓને પૂછપરછ કરી હતી. પણ તેણે કોઈ જવાબ ન આપ્યો. તે કહે છે કે આતંકવાદીઓ સંપૂર્ણપણે પાગલ હતા.