• કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી પ્રતિબંધ મૂકવામાં આવે: અરજદાર

  • આદિ વિશ્વેશ્વર મંદિરના અવશેષો બચાવવા અરજીમાં કરાઇ હતી માંગ
  • 1669માં મુસ્લિમ શાસક ઔરંગઝેબે કર્યો હતો શિવ મંદિરનો નાશ

વારાણસી ખાતે આવેલ જ્ઞાનવાપી પરિસરમાં નોન-હિન્દુઓના પ્રવેશ પર રૉક લગાવવાની માંગ કરતી જાહેરહિતની અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં આ અરજી રાખી સિંહ અને અન્ય અરજદારો તરફથી દાખલ કરવામાં આવી હતી. અરજી પર ચીફ જસ્ટિસ પ્રિતિંકર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની ખંડપીઠે સુનાવણી કરી હતી.

આ જાહેરહિતની અરજીમાં માંગ કરવામાં આવી હતી કે શ્રૃંગાર ગૌરી કેસમાં જ્યાં સુધી વારાણસી જિલ્લા કોર્ટનો ચુકાદો ન આવી જાય ત્યાં સુધી પરિસરમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને જ્ઞાનવાપી પરિસરમાં હિન્દુ પ્રતીકોને સંરક્ષિત રાખવાનો આદેશ ન આવી જાય.


જાહેરહિતની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે વારાણસીમાં શ્રી આદિ વિશ્વેશ્વર મંદિર (હાલનું જ્ઞાનવાપી પરિસર)ના વર્ષો જૂના અવશેષોને બચાવવાની જરૂર છે. દાવો કરવામાં આવ્યો હતો કે વિવાદિત સ્થળ (સેટલમેન્ટ પ્લોટ નંબર 9130 વોર્ડ અને દશાશ્વમેધ વારાણસી) પર એક ભવ્ય મંદિર હતું, જ્યાં ભગવાન શિવે સ્વયં જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી.

1669માં ઔરંગઝેબે કર્યો હતો મંદિરનો નાશ

1669માં મુસ્લિમ શાસક ઔરંગઝેબે આ મંદિરનો નાશ કર્યો હતો. એવું કહેવાય છે કે મંદિરના વિનાશ બાદ, મુસ્લિમોએ મંદિરના પરિસરમાં અનધિકૃત રીતે અતિક્રમણ કર્યું અને એક માળખું બનાવ્યું, જે આજે કથિત રીતે જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે.


  • Follow us on: