• દિલ્હીમાં મેઘો મૂશળધાર
  • દાદરીમાં દિવાલ પડતા 2ના મોત
  • ભારે વરસાદને કારણે દિવાલ થઇ ધરાશાયી

દિલ્હી NCRમાં મુશળધાર વરસાદ આફત બની ગયો છે. ભારે વરસાદને કારણે 3થી વધારે લોકો મોતને ભેટ્યા છે. જો કે હજી પણ દિલ્હીમાં વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દાદરીમાં વરસાદને કારણે એક દિવાલ ધસી પડી હોવાનુ સામે આવ્યું છે. જેમાં બે લોકોના દટાવાથી મોત થયા છે. એક મહિલા અને પુરુષ સૂઇ રહ્યા હતા તે દરમિયાન દિવાલ પડી હતી. ઘટનાને પગલે વહીવટીતંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

ક્યાં બન્યો આ બનાવ ?

મળતી માહિતી મુજબ બુધવારે મોડી રાત્રે વરસાદને કારણે તિરુપતિ એન્ક્લેવ કોલોનીની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. દિવાલ પાસેના ઝૂંપડામાં સૂઈ રહેલા અબ્દુલ સફર અને તેની પત્ની સબીનાનું મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે કોલોનીની દિવાલ પહેલાથી જ તુટી જવાની સ્થિતિમાં હતી. મોડી રાત્રે પડેલા વરસાદને કારણે ઝૂંપડાની ઉપર દિવાલ પડી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.


મૃતકો આસામના રહેવાસી હતા

ઘટનાને પગલે જિલ્લા પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. નોઈડા પોલીસ કમિશનરેટ મીડિયા સેલે જણાવ્યું હતું કે દાદરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આંબેડકર નગર કોલોનીમાં તિરુપતિ એન્ક્લેવની દિવાલ ધરાશાયી થતાં તેમની ઝૂંપડપટ્ટીમાં સૂઈ રહેલા સબૂર અલી (62) અને તેમની પત્ની અમીના (50)નું મૃત્યુ થયું હતું. બંને આસામના ધુબરી જિલ્લાના વતની હતા. તેઓ કચરો વીણવાનું કામ કરતા હતા.


  • Follow us on: