• મણિપુરના આ શહેરમાં સૌથી ઊંચો તિરંગો લહેરાવ્યો
  • મોઇરાંગમાં INA મુખ્યાલયમાં લહેરાવ્યો તિરંગો
  • એન બિરેન સિંહે પોસ્ટ કરી શેર

મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં સ્વતંત્રતા દિવસના અવસરે મોઇરાંગમાં INA મુખ્યાલયમાં પૂર્વોત્તર ભારતના સૌથી ઊંચા ધ્વજને સલામી આપવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીય સેનાએ 1944માં પ્રથમ વખત મોઇરાંગ ખાતે ધ્વજ ફરકાવ્યો હતો. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું કે પૂર્વોત્તર ભારતનો સૌથી ઉંચો ધ્વજ આપણા દેશના ગૌરવનું પ્રતિક છે.

એન બિરેન સિંહે પોસ્ટ કરી શેર

સીએમ બિરેન સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું કે ભારતીય સેનાએ 14 એપ્રિલ 1944ના રોજ અહીં પહેલીવાર ધ્વજ ફરકાવ્યો હતો. તે આપણા આઝાદીના સંઘર્ષની ક્ષણને દર્શાવે છે. સીએમ બિરેન સિંહે જણાવ્યું કે આપણે હર ઘર તિરંગાની ઉજવણી કરી રહ્યા છીએ. આ અવસર પર આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાન અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના કાયમી વારસાને યાદ કરીએ અને સન્માન કરીએ. આ પહેલા સીએમએ કહ્યું કે મેં પૂર્વોત્તર ભારતમાં સૌથી ઉંચો ધ્વજ ફરકાવવાનું વિચાર્યું અને પછી તેમાં કેટલાક લોકોને સામેલ કર્યા. હું વડાપ્રધાન અને ગૃહમંત્રીને આશ્ચર્યમાં મૂકવા માંગતો હતો. મેં સાંભળ્યું કે જૂના આઝાદ હિંદ દળના હેડક્વાર્ટર પર હજુ પણ ગોળીઓના નિશાન છે.

INA મેમોરિયલના કન્વીનર વાય મોધુ સિંઘે INA ના જૂના હેડક્વાર્ટરનું પુનર્નિર્માણ કરવા માટે બિરેન સિંહ સરકાર દ્વારા લેવામાં આવેલી પહેલની પ્રશંસા કરી. તમને જણાવી દઈએ કે INA હેડક્વાર્ટરથી થોડાક મીટર દૂર એક INA મ્યુઝિયમ છે, જેમાં હથિયારો અને અન્ય યાદગાર વસ્તુઓ છે. સંકુલમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પણ છે જે પશ્ચિમ બંગાળની ભેટ હતી.

  • Follow us on: