
Morbi : સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના વહેલી સવારે આકસ્મિક ધામા, ફાયર સેફ્ટી અને ટોયલેટ જોઇ આપી કડક સૂચના

Aug 15, 2024 11:50 pm
RG Kar Case: હોસ્પિટલમાં તોડફોડ કરનારા 12 આરોપીઓના રિમાન્ડ મંજૂર
કોલકાતાની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે તોડફોડ કરનારા શખ્સો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તોડફોડ કરવા મામલે વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન સ્થાનિક કોર્ટે ધરપકડ કરાયેલા 12 લોકોને 22 ઓગસ્ટ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે.
Aug 15, 2024 11:30 pm
આદિપુર નર્મદા કેનાલમાં બે બાળકો ડુબી ગયા
આદિપુર નર્મદા કેનાલમાં ગોલ્ડન સીટી વિસ્તારમાં રહેતા ફરાર એજ અને અમન એજ નામના બે કિશોર નાહવા પડ્યા હતા, ત્યારબાદ કેનાલમાં ડૂબી જતા લાપતા બન્યા હતા. નગરપાલિકાની ટીમ સહિતની ટીમે કલાકોની જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હોવાની માહિતી મળી રહી છે.
Aug 15, 2024 11:05 pm
Kutch: 78માં સ્વતંત્રતા દિવસ પર ભૂજના વ્યક્તિએ માઉન્ટ એલ્બ્રુટસ પર લહેરાવ્યો તિરંગો
કચ્છ-ભૂજના નખત્રાણાના પર્વતારોહી ચેતન દિલિપભાઈ નાકરાણીએ ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. આજે 78માં સ્વતંત્રતા દિવસ અને 25માં કારગિલ વિજય દિવસના અવસર પર ચેતન નાકરાણીએ રશિયા અને યુરોપ મહાદ્વીપની સૌથી ઉંચી ચોટી માાઉન્ટ એલ્બ્રુટ્સ પર તિંરગો લહેરાવ્યો છે. માઉન્ટ એલ્બ્રુટ્સનો વિશ્વના સૌથી ઊંચા 7 માઉન્ટની અંદર સમાવેશ થાય છે. ત્યારે આજે 15 ઓગસ્ટની સવારે 9.13 મિનિટે (રશિયા સમયનુસાર) ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને સાથે જ કારગિલ યુદ્ધની અંદર વિરગતી પામનાર 527 શુરવીરોને પોતાના અલગ અંદાજથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 527 શુરવીરોના નામ એક રાષ્ટ્રધ્વજ પર લખેલા હતા.
Aug 15, 2024 10:38 pm
સાબરકાંઠામાં ભત્રીજાએ તીરથી કાકાને વીંધી નાખ્યા
સાબરકાંઠામાં ભત્રીજાએ તીરથી કાકાને વીંધી નાખ્યાની ઘટના સામે આવી છે. ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરના આડાવેલા ગામમાં આ ઘટના બની છે. કોઈ કારણસર કાકા અને ભત્રીજા વચ્ચે ઝઘડો થયો હતો અને લોહી નીકળતી હાલતમાં કાકાનો વીડિયો વાયરલ થયો છે. હાલમાં કાકાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
Aug 15, 2024 10:27 pm
Ambaji ગબ્બર પર સતત બીજા દિવસે રીંછ દેખાયુ, ભક્તોની સુરક્ષા સામે સવાલ
ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં ફરી એક વખત રીંછ જોવા મળ્યું છે. ગઈકાલે રાત્રે પણ રીંછ ગબ્બરની આસપાસ ફરતુ જોવા મળ્યું હતું, ત્યારે આજે સતત બીજા દિવસે પણ ગબ્બરમાં રીંછ ફરતુ જોવા મળ્યું છે. ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે રીંછ સતત બીજા દિવસે જોવા મળ્યું છે. જેનો વીડિયો ગબ્બર ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઉતારવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે 10 નંબરના મંદિર ખાતે રીંછ પરિક્રમા માર્ગ ઉપર જોવા મળ્યું હતું, ત્યારે આજે સતત બીજા દિવસે મંદિર નંબર 17 પર રીંછ જોવા મળ્યું હતું.
Aug 15, 2024 10:10 pm
Junagadh: કોલકતામાં મહિલા તબીબની હત્યાનો વિરોધ, મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ યોજી
કોલકતામાં મહિલા તબીબની હત્યાનો વિરોધ સમગ્ર દેશભરમાં થઈ રહ્યો છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે. ત્યારે આજે જુનાગઢ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને તબીબોએ કેન્ડલ માર્ચ યોજી હતી. જુનાગઢ GMERS મેડિકલ કોલેજમાં કેન્ડલ માર્ચ યોજીને વિદ્યાર્થીઓ અને તબીબોએ હત્યારાઓને કડકમાં કડક સજા આપવા માગ કરી છે. તમને જણાવી દઈએ કે મેડિકલ કોલેજના 300થી વધુ વિદ્યાર્થીઓ આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા અને GMERS મેડિકલ કોલેજથી મજેવડી ગેટ સુધી આ કેન્ડલ માર્ચ યોજાઈ હતી.
Aug 15, 2024 09:43 pm
ભૂજ: બસ ડ્રાઈવરે મહિલાને જાહેરમાં કર્યું ચુંબન, એસ.ટી.વિભાગે ડ્રાઈવરને કર્યો ફરજ મોકૂફ
ભૂજ એસ.ટી.બસ સ્ટેશનમાં ડ્રાઈવરના બીભત્સ ચેનચાળા સામે આવ્યા છે. બસ ડ્રાઈવરે મહિલાને જાહેરમાં ચુંબન કર્યું છે. ડ્રાઈવરના બીભત્સ ચેનચાળાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે હાલમાં એસ.ટી.વિભાગે ડ્રાઈવરને ફરજ મોકૂફ કર્યો છે.
Aug 15, 2024 09:14 pm
Vadodara: MSUના વિદ્યાર્થીઓ પર હુમલો, અસામાજિક તત્વોના સમાધાન માટે ધમપછાડા
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ગઈકાલે મધ રાત્રે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા બિહારી વિદ્યાર્થીઓ વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટે નીકળ્યા હતા. મોડી રાતે વિદ્યાર્થીઓ ભારત માતા કી જય, ભાજપ અને નરેન્દ્ર મોદી ઝિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન નજીકમાં બેસેલા કેટલાક અસામાજિક તત્વોએ વિદ્યાર્થીનઓને છંછેડાયા હતા. ત્યારબાદ અસામાજિક તત્વો વિદ્યાર્થીઓ પાસે ધસી જઈ બોલાચાલી કરી હતી. ઉગ્ર બોલાચાલીમાં મામલો બિચકતા અસામાજિક તત્વોએ વિદ્યાર્થીઓને કોર્ડન કરી ફટકાર્યા હતા. આ ઘટના અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ફતેગંજ વિસ્તારમાં બનેલી આ મારામારીની ઘટનાનો મોડી રાતનો વીડિયો સોશિયલ મીડિયા પર આજે વાયરલ થયો હતો. આ ઘટના બાદ સમગ્ર મામલે સમાધાન કરવાના પ્રયાસો હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે આ પ્રકરણમાં હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
Aug 15, 2024 08:27 pm
પાલનપુરની નવદીપ હોસ્પિટલમાં યુવકે ગળે ફાંસો ખાધો
પાલનપુરની નવદીપ હોસ્પિટલમાં યુવકે ગળે ફાંસો ખાધો છે. સંજય પ્રજાપતિ નામના યુવકે આત્મહત્યા કરી છે. હોસ્પિટલના સેમી સ્પેશિયલ રૂમમાં આત્મહત્યા કરી છે. મેડિકલ સ્ટોરમાં યુવક નોકરી કરતો હતો. જો કે યુવકના મોત પાછળનું કારણ અકબંધ છે.
Aug 15, 2024 08:00 pm
Becharaji પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે મોટો અકસ્માત, બાળકનું ઘટનાસ્થળે જ મોત
બહુચરાજી પાસે કાલરી અને ચડાસના ગામ વચ્ચે ટ્રેલર અને રિક્ષા વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં બેઠેલા એક બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું અને આ સિવાય અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમની હાલત પણ હાલમાં ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. અકસ્માત સમયે રિક્ષામાં કૂલ 4 મુસાફર સવાર હતા.
Aug 15, 2024 07:44 pm
કચ્છના શિણાય ડેમમાં બે યુવકો ડૂબ્યા
ડેમમાં ન્હાવા પડેલા બે યુવકોના
ડૂબવાથી મોત થયા છે. હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. શિણાય
ડેમમાં ફરી લોકો ડુબ્યા છે. ન્હાવા પડેલા બે યુવકો અચાનક ડુબવા લાગ્યા હતા. બંન્નેને
હોસ્પિટલે ખસેડવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યા હતા.
Aug 15, 2024 07:15 pm
AMCના CTPO રાજેશ પટેલનું રાજીનામું
રાજેશ પટેલ કોન્ટ્રાક્ટ પર કામ કરતા
હતા. પાંચ દિવસ પહેલા થઇ હતી શાબ્દિક ટપાટપી. ચાંદલોડિયામાં
આવેલા મકાનની રજાચિઠ્ઠી અંગે અધિકારી અને ભાજપના નેતાને બોલાચાલી થઈ હતી. ભાજપના
નેતાઓ રજાચિઠ્ઠી રદ કરવાની માગ કરતા હતા.
Aug 15, 2024 06:53 pm
Aug 15, 2024 06:40 pm
Panchmahal: શહેરામાં ભાજપના મહિલા સરપંચના પતિ પર હુમલો
પંચમહાલ જિલ્લાના
શહેરા ધારાસભ્યની ઓફિસની બહાર ભાજપ કાર્યકર પર તેમજ અન્ય ઇસમો પર જીવલેણ હુમલો કરવામાં
આવ્યો છે. ભાજપ કાર્યકર મીઠાપુર મહિલા સરપંચના પતિ છે.
Aug 15, 2024 06:12 pm
Banaskanthaની શાળાના આચાર્ય ગાંધીનગરમાં નોકરી કરતા હોવાનું ખુલ્યું
બનાસકાંઠા
જિલ્લાના સરહદી વિસ્તારમાં આચાર્ય વગરની શાળા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યાનો
મામલો બહાર આવ્યો છે.
Aug 15, 2024 05:45 pm
Gandhinagar: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જૂની પેન્શન યોજનાની માંગ સાથે ધરણા
રાષ્ટ્રીય
શૈક્ષિક મહાસંઘ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આવેલ સત્યાગ્રહ
છાવણીમાં સવારે 11 થી સાંજે 5
વાગ્યા સુધી ધારણા યોજાશે.
Aug 15, 2024 05:10 pm
Vadodara: મ્યુ. કમિશ્નર દિલીપ રાણા ભક્તો સાથે બાખડી પડ્યાં
વડોદરામાં તળાવની બાજુમાં કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. જેમાં
પાણી નહીં હોવાથી મૂર્તિઓ ક્યાં વિસર્જન કરવી તે બાબતે વિવાદ થયો હતો. જે જોતાં
વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને ભક્તો વચ્ચે માથાકૂટ થઈ હતી.
Aug 15, 2024 04:55 pm
Surat: હીરાના કારખાનામાં ચોરી કરવાનો ભેદ ઉકેલાયો, 3 લોકોની પોલીસે કરી ધરપકડ
સુરતમાં ઉત્રાણ યમુના ચોક યમુના પેલેસમાં રહેતા 35 વષીય કૃણાલભાઈ પ્રવિણભાઈ ભુવા વરાછા મીનીબજાર ઠાકોર દ્વાર સોસાયટી શ્રીહરિ બિલ્ડીંગના ચોથા માળે ઓફિસમાં દેવ ફોરપીના નામે હીરાનું કારખાનું ધરાવે છે, તેમના કારખાનામાં દિવસે સંદીપ અને રાતપાળીમાં હાર્દિક દિનેશભાઈ ભુવા અને રૂપેશ ભવાનભાઈ બારૈયા નોકરી કરે છે.
Aug 15, 2024 04:19 pm
Bhavnagar: રેલવે ડિવિઝનમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી
78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે
ભાવનગર ડિવિઝન ખાતે સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
Aug 15, 2024 04:09 pm
ધારાસભ્ય કાંધલ જાડેજાની HCમાં અરજી
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં નગરપાલિકાના
અધિકારીઓ વિશે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે
પગલા લેવા માગણી કરી હતી.
Aug 15, 2024 03:48 pm
Surat: દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા, સગીરાને 5 લાખનું વળતર
સુરત
જિલ્લાની ઘટનામાં કોર્ટે સજા આપીને એક દાખલો બેસાડ્યો છે. સગીરાને વેચી દેનાર
મહિલાને તેમજ બળાત્કાર કરનાર રાજસ્થાની યુવકને 20
વર્ષની સખત કેદ કરવામાં આવી છે. સગીરાને વેચી દેનાર હંસાબેન તેમજ તેણીની સાથે રેપ
કરનાર ખીમસિંહને કસુરવાર ઠેરવ્યા છે.
Aug 15, 2024 03:32 pm
CRPFના જવાનોને 5 શૌર્ય ચક્ર અને વીરતા મેડલથી સન્માનિત
સ્વતંત્રતા દિવસ 2024ની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. શૌર્ય અને સમર્પણની નોંધપાત્ર માન્યતામાં, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ને કુલ 57 પુરસ્કારો પ્રાપ્ત કરીને આ વર્ષે સૌથી વધુ સંખ્યામાં પોલીસ વીરતા મેડલ એનાયત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 78મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આ સન્માનોની જાહેરાત કરવામાં આવી હતી. સન્માનમાં, CRPFને 5 પ્રતિષ્ઠિત શૌર્ય ચક્રો એનાયત કરવામાં આવ્યા છે, જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અસાધારણ હિંમત અને બહાદુરી દર્શાવવા માટે દેશના સર્વોચ્ચ શાંતિ સમયના શૌર્ય પુરસ્કારોમાંનો એક છે. બાકીના 52 મેડલમાં અન્ય પોલીસ વીરતા પુરસ્કારોનો સમાવેશ થાય છે જે રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં CRPFની અનુકરણીય સેવાને પ્રતિબિંબિત કરે છે.
Aug 15, 2024 03:24 pm
સંસદસભ્યએ ધારિયું લઈને જાતે વૃક્ષ કાપ્યું અને રસ્તો કર્યો
છોટાઉદેપુરના સંસદસભ્ય જશુભાઈ રાઠવાની સરાહનીય કામગીરીનો વિડિયો વાયરલ થયો છે. નસવાડી ક્વાંટ રોડ ઉપર મોટુ વૃક્ષ પડતા ત્યાંથી પસાર થતા છોટાઉદેપુર સંસદસભ્ય જાતે કામગીરીમા જોડાયા હતા.
Aug 15, 2024 03:23 pm
ગોંડલમાં કૂવામાં પડી જતા 2 બાળકોના મોત થયા
ગોંડલમાં કૂવામાં પડી જતા 2 બાળકોના મોત થયા છે. જેમાં નાના મહિકા ગામે 60 ફૂટ ઊંડા કૂવામાં પડતા મોત થયુ છે. બન્ને બાળકો રમતા રમતા કૂવામાં પડ્યાની આશંકા છે . બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
Aug 15, 2024 03:16 pm
IPS અધિકારીની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરવામાં આવી
IPS અધિકારીની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં સુરતના કામરેજના ઠગબાજ પ્રદીપ પટેલે છેતરપિંડી કરી છે. પ્રદીપ પટેલે મહારાષ્ટ્રના બિલ્ડર સાથે ઠગાઇ કરી છે. તેમાં હોટેલમાં 30 ટકા ભાગીદારી આપવાનું કહી છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં ગુજરાત ટુરિઝમ હસ્તકની હોટલમાં ભાગીદારીનું કહ્યું હતુ.
Aug 15, 2024 03:00 pm
Aug 15, 2024 02:55 pm
Patan: સ્વતંત્રતા દિવસ પર પોલીસે ફરિયાદીઓનું સન્માન કર્યું
પાટણ એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા સ્વતંત્રતા દિન નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમમાં એ.સી.બી. પોલીસ સ્ટેશન પાટણના ગુનાઓના ફરિયાદીઓને આમંત્રિત કરી તેઓનું સ્વાગત કરી મોમેન્ટો આપી તેઓનું સન્માન કરવામાં આવેલ.
Aug 15, 2024 02:50 pm
Suratમા નકલી પોલીસ બની તોડ કરતી આખી ગેંગ ઝડપાઈ
ગુજરાત રાજયમાં નકલીનો ખેલ હજી ચાલુ જ છે,કયારેક નકલી પોલીસ,કલેકટર તો કયારેક નકલી કચેરીઓ પણ ઝડપાય છે,આવી જ એક ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની જયા જુગાર રમતા લોકોની વચ્ચે નકલી પોલીસ બનીને ગયેલા લોકોએ કેસ નહી કરવાના બહાને તોડ કર્યો,તો અસલી પોલીસે સમગ્ર ઘટના જાણતા આરોપીને ઝડપ્યા અને અનેક ખુલાસાઓ કર્યા.
Aug 15, 2024 02:41 pm
સોમનાથ મંદિરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી
સોમનાથ મંદિરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે. જેમાં સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય ઉજવણી કરાઇ છે. તેમાં શ્રદ્ધાળુઓ શિવભક્તિ સાથે રાષ્ટ્રભક્તિમાં જોડાયા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આજે 78માં સ્વતંત્રતા પર્વ પર ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિનું સંગમ સ્થાન બન્યું હતું.
Aug 15, 2024 02:28 pm
નવસારીના સરપોર ગામે દીપડાના આંટાફેરા વધ્યા
નવસારીના સરપોર ગામે દીપડાના આંટાફેરા વધ્યા છે. જેમાં 4 દિવસથી આહીર ફળિયામાં દીપડાના ધામા જોવા મળ્યા છે. તેમાં ફળિયામાં આંટાફેરા મારતો દીપડો CCTVમાં કેદ થયો છે. દીપડાના આંટાફેરાને લઇ ગ્રામજનોમાં ભય ફેલાયો છે. છેલ્લા ચાર દિવસથી દીપડાના આહીર ફળિયામાં ધામા છે. આહીર ફળિયામાં દીપડો બિન્દાસ્ત ફરતો જોવા મળ્યો છે.
Aug 15, 2024 02:14 pm
અંબાજીમાં ગ્રામ પંચાયતની કચેરીમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ
બનાસકાંઠાના અંબાજીમાં ગ્રામ પંચાયતની થોડા દિવસ પહેલા તાળુ તોડીને ચોરી થઈ હોવાની ઘટના બની હતી,જેમાં તસ્કરોએ કોમ્પ્યુટર ,મશીનરી, ઝેરોક્ષ મશીન, સીપીયુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા,ત્યારે પોલીસે આ ઘટનામા ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ કરી હતી.જેમાં પોલીસે રાજસ્થાનથી એક આરોપીની ધરપકડ કરી છે,તો અન્ય ત્રણ આરોપીઓ હજી પણ ફરાર છે.
Aug 15, 2024 02:00 pm
Nadiad: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ CM ભૂપેન્દ્ર પટેલની બેઠક
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી આગામી ડિસેમ્બરમાં યોજાવાની શકયતા ના પગલે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં ધારાસભ્યો અને સંસદસભ્ય તેમજ જિલ્લાના પદાધાકારીઓ સાથે બેઠક કરી હતી.
Aug 15, 2024 01:45 pm
થરાદમાં મૃતદેહ લઇને જતી એમ્બ્યુલન્સનો અકસ્માત થયો
થરાદમાં મૃતદેહ લઇને જતી એમ્બ્યુલન્સનો અકસ્માત થયો છે. જેમાં થરાદ-સાંચોર હાઇવે પર અકસ્માતમાં એકનું મોત થયુ છે. તેમાં મૃતદેહ લઇને જતી એમ્બ્યુલન્સ ટ્રક પાછળ ઘૂસી છે. ગાંધીધામથી રાજસ્થાન જતી વખતે અકસ્માત થયો છે. તેમાં મૃતદેહ પાસે બેઠેલા યુવકનું અકસ્માતમાં મોત થયુ છે. ચાલક એમ્બ્યુલન્સ મૂકીને ઘટના સ્થળેથી ફરાર થયો છે.
Aug 15, 2024 01:33 pm
અંબાજીમાં ગ્રા.પંની કચેરીનો ચોરીનો ભેદ ઉકેલાયો
પોલીસે રાજસ્થાનથી 1 આરોપીને પકડ્યો, 3 આરોપી ફરાર,ગ્રામ પંચાયત કચેરીમાં 1,17,000ની ચોરી કરી હતી,કોમ્પ્યુટર ,મશીનરી, ઝેરોક્ષ મશીન, સીપીયુની કરી હતી ચોરી.મોનિટર સહિત તાળું તોડીને આરોપીઓ લઈ ગયા હતા.
Aug 15, 2024 01:06 pm
સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં છેલ્લી હરોળમાં રાહુલ ગાંધી કેમ બેઠા હતા?
રાહુલગાંધી સ્વતંત્ર પર્વ સમારોહના કાર્યક્રમમાં પ્રેક્ષક ગેલેરીમાં સફેદ કુર્તા પાયજામા પહેરીને બેઠેલા જોવા મળ્યા. તેમને વિપક્ષના નેતા તરીકે પાછળની હરોળમાં બેસાડવાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ હવે આ સમગ્ર મામલે રક્ષા મંત્રાલયે સ્પષ્ટતા આપી છે. સ્પષ્ટતા આપતા સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓ માટે આગળની હરોળમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, મંત્રાલયના જણાવ્યા અનુસાર, આગળની સીટ રાહુલ માટે આરક્ષિત હતી, પરંતુ તેણે પોતાની મરજીથી લાઇનની પાછળ બેસવાનું નક્કી કર્યું.
Aug 15, 2024 12:47 pm
Ahmedabad: ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો
અમદાવાદ હાઈકોર્ટમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે હાઇકોર્ટના પટાંગણમાં ધ્વજ લહેરાવ્યો હતો. ચીફ જસ્ટિસે ધ્વજવંદન કરી ગાંધીજીના શિલ્પને સુતરની આંટી પહેરાવી હતી.
Aug 15, 2024 12:35 pm
Anand: મકાનમાં ત્રાટકી પરિવારને ધાક ધમકી આપી લૂંટ ચલાવનારી ટોળકી ઝડપાઇ
આણંદ તાલુકાનાં અડાસ ગામની દામપુરા સીમમાં એક મકાનમાં ત્રાટકી પરિવારને ધાક ધમકીઓ આપી 1.48 લાખની મતાની લૂંટ ચલાવનારી લૂંટારૂ ટોળકીને વાસદ પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડી છે. જેમાં ચાર લૂંટારૂઓની ધરપકડ કરી ઈકો કાર અને લૂંટમાં ગયેલા મુદ્દામાલ સહીત 4.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
Aug 15, 2024 12:24 pm
રાજકોટ ચીફ ફાયર ઓફિસરની ભરતી શંકાના દાયરા આવી
રાજકોટ ચીફ ફાયર ઓફિસરની ભરતી શંકાના દાયરા આવી છે. જેમાં લાંચીયા અનિલ મારૂની ભરતી શંકાના દાયરામાં છે. તેમાં ધોરણ 12 પાસ અનીલ મારૂને ચીફ ઓફિસર બનાવી દેવાયા છે. તેમાં અનિલ મારૂની ક્લાસ-1 ઓફિસર તરીકે નિમણૂંક કરાઇ છે. ત્યારે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ અનીલ મારૂ લાંચ લેતા ઝડપાયા હતા.
Aug 15, 2024 12:15 pm
Rajasthan: રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો
રાજસ્થાનમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરેલ છે. જે જોતાં આજ સવારથી જ જયપુરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. રસ્તા પર પાર્ક કરેલી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

Aug 15, 2024 12:14 pm
T20 World Cup ભારતમાં નહીં યોજાય..! સામે આવ્યું આ મોટું કારણ
આ વખતે બાંગ્લાદેશ ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024નું આયોજન કરી રહ્યું છે . પરંતુ પડોશમાં બગડતી પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપની યજમાની ગુમાવી શકે છે. તે જ સમયે, ICC પણ બાંગ્લાદેશની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. બીજી તરફ, અહેવાલો સામે આવ્યા હતા કે T20 વર્લ્ડ કપ ભારત, શ્રીલંકા અથવા UAE દ્વારા યોજવામાં આવી શકે છે. હવે મોટી માહિતી સામે આવી રહી છે કે મહિલા T20 વર્લ્ડ કપ 2024 ભારતમાં નહીં યોજાય.
Aug 15, 2024 12:13 pm
Ahmedabad Police હેડકવાર્ટરમા ફરજ બજાવતા પોલીસકર્મીએ રિવોલ્વરથી ગોળી મારી કર્યો આપઘાત
દિવસેને દિવસે પોલીસકર્મીના આપઘાતના બનાવો વધતા જાય છે,ત્યારે અમદાવાદ પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી જીતેન્દ્ર વાજાએ પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરતા પોલીસબેડામાં શોકનો માહોલ છવાયો છે,આજે સ્વાતંત્રતા પર્વના દિવસે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્રારા મૃતક પોલીસ કોન્સ્ટેબલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Aug 15, 2024 12:00 pm
Aug 15, 2024 11:53 am
Porbandarમા શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા મધ દરિયે ધ્વજવંદન કરાયું
પોરબંદરમાં 78માં સ્વતંત્રા દિવસની ઉજવણીના ભગરૂપે શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 25 વર્ષથી સમુદ્રમાં ધ્વજ વંદન કરવામાં આવે છે, ભારે તોફાની મોજા હોવા છતા સમુદ્રમાં ધ્વજ લહેરાવવાની પ્રથા યથાવત રાખી છે.પોરબંદરના શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે સંસ્થાના મેમ્બરો મધ દરિયે ધ્વજ લહેરાવી રાષ્ટ્રગીત ગાઈ ધ્વજને સલામી આપે છે.

Aug 15, 2024 11:45 am
Ahmedabad Police હેડ કવાર્ટર ખાતે 78માં સ્વાતંત્રતા પર્વની કરાઈ ઉજવણી
અમદાવાદમાં પણ 78માં સ્વતંત્રતા દિવસની ધામધુમ પૂર્વક ઉજવણી થઈ રહી છે.અમદાવાદ પોલીસ હેડ કવાર્ટર ખાતે 15મી ઓગસ્ટની ઉજવણી થઈ રહી છે,આ ઉજવણી દરમિયાન પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ તેમજ પીઆઈ,પીએસઆઈ,કોન્સ્ટેબલો હાજર રહ્યાં હતા.

Aug 15, 2024 11:35 am
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં દેશભક્તિનો માહોલ જામ્યો
પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં દેશભક્તિનો માહોલ જામ્યો હતો. યાત્રાધામ પાવાગઢમાં માતાજીના નિજ મંદિર પરિસરમાં 78માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Aug 15, 2024 11:28 am
દ્વારકાધીશ મંદિરના શિખર પર તિરંગા કલરનો ધ્વજ લહેરાયો
દ્વારકાધીશ મંદિરના શિખર પર તિરંગા કલરનો ધ્વજ લહેરાયો છે. જેમાં દ્વારકામાં સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. મંદિરમાં પ્રથમ ધ્વજા તિરંગા કલરની ચઢાવવામાં આવી છે. સ્વતંત્રતા પર્વની ધામધૂપૂર્વક ભવ્ય ઉજવણીના રંગે ભક્તો પણ રંગાયા છે. દ્વારકાધીશ મંદિર ભક્ત દ્વારા આજે પ્રથમ ધ્વજા તિરંગા કલરની ચઢાવી હોય મંદિરના શિખર દેખાઇ રહ્યું છે.

Aug 15, 2024 11:12 am
સુરેન્દ્રનગરમાં તિરંગા યાત્રામાં વીર સાવરકરની ટી-શર્ટને લઇ વિવાદ
સુરેન્દ્રનગરમાં તિરંગા યાત્રામાં વીર સાવરકરની ટી-શર્ટને લઇ વિવાદ થયો છે. જેમાં સુરેન્દ્રનગરમાં યાત્રા રોકી ટી-શર્ટ વિતરણ મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે. 5 લોકો સામે નામજોગ અને અન્ય શખ્સો સામે ગુનો નોંધાયો છે. યાત્રા રોકી ટી - શર્ટ મુદ્દે ઠપકો આપતા પોલીસ ફરિયાદ થઇ છે. જેમાં રૂત્વિક મકવાણા, લાલજી દેસાઇ સામે પોલીસ ફરિયાદ થઇ છે.

Aug 15, 2024 10:54 am
ડીસામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કર્યુ ધ્વજવંદન
ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ સ્વાતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે,ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ડીસા ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી ધ્વજવંદન કર્યુ હતુ.ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નડિયાદ ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી છે,સમગ્ર દેશમાં લોકોમાં ખુશીનો માહોલ છે અને લોકો દેશભકિતના રંગે રંગાયા છે.

Aug 15, 2024 10:38 am
આઝાદીના જશ્નમાં ગૂગલે બનાવ્યુ ખાસ ડૂડલ,જાણો શું છે થીમ
દેશ આજે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આઝાદીની આ ઉજવણીમાં દરેક ભારતીય ભાગ લઈ રહ્યા છે. દેશના ખૂણે ખૂણે આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સૌ કોઇ તિરંગાના રંગે રંગાયા છે. પીએમ મોદીએ પણ લાલ કિલ્લા ખાતેથી ધ્વજવંદન કરીને રાષ્ટ્રને સંબોધન કર્યું. ત્યારે સર્ચ એન્જિન ગૂગલે પણ ખાસ અંદાજમાં ડૂડલ બનાવીને દેશવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી.

Aug 15, 2024 10:29 am
અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર એક્સપ્રેસના ડબ્બા છુટા પડ્યા
અમદાવાદથી મુંબઈ આવી રહેલી ડબલ ડેકર એક્સપ્રેસનો કોચ પશ્ચિમ રેલવે પર સુરત પહેલા સયાન ખાતે અલગ પડી ગયો હતો. ડબ્બો અલગ થઈ ગયો હોવાથી મુસાફરો ડરી ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા છે અને પાટા પર ઉભા છે.
Aug 15, 2024 10:19 am
આજે શ્રી કષ્ટભંજનદેવ દાદાને તિરંગાનો શણગારા કરાયો
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત આજે શ્રી કષ્ટભંજનદેવ દાદાને તિરંગાનો શણગારા કરાયો

Aug 15, 2024 10:04 am
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો
નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. ભૂપેન્દ્ર પટેલે સવારે 9 વાગ્યે ધ્વજવંદન કર્યું છે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જનતાને સંબોધન કર્યું છે. જેમાં 118 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કર્યું છે. જેમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.
Aug 15, 2024 10:01 am
PM મોદીની પાઘડીમાં રાજસ્થાની ટચ,જુઓ 2014થી 2024 સુધીનો પાઘડી લુક
પીએમ મોદી 2014 થી 2024 સુધીના કાર્યકાળમાં આ વખતે 11મી વખત લાલ કિલ્લા ખાતે તિરંગો લહેરાવીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી. ત્યારે પીએમ મોદીએ પોતાની પરંપરાને ધ્યાનમાં રાખીને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ફરીથી ખાસ પાઘડી પહેરી હતી.. આજે ભારત તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે અને આ અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે.

Aug 15, 2024 09:52 am
આઝાદીના પર્વ પર જાણો શું છે આજે વરસાદની આગાહી
આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, પાટણ તથા મહેસાણા, સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર તથા ખેડા, નડિયાદ, નર્મદામાં હળવા વરસાદની આગાહી સાથે આણંદ, વડોદરા તથા ભરૂચ, સુરત, તાપીમાં હળવા વરસાદની આગાહી છે.
Aug 15, 2024 09:32 am
મારી દરેક ક્ષણ દેશ માટે છે - પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે મારી દરેક ક્ષણ દેશ માટે છે. હું ત્રીજી ટર્મમાં ત્રણ ગણી ઝડપે કામ કરીશ. તમે મને જે જવાબદારી સોંપી છે તે હું નિભાવીશ. હું પડકારોથી ડરતો નથી. હું તમારા સારા ભવિષ્ય માટે છું.
Aug 15, 2024 09:31 am
પીએમ મોદીએ વન નેશન વન ઈલેક્શન પર વાત કરી હતી
પીએમ મોદીએ કહ્યું કે દેશને વન નેશન વન ઇલેક્શન માટે આગળ આવવું પડશે. ભારતની પ્રગતિ માટે આ સપનું પૂરું કરવું પડશે. હું તમામ પક્ષોને આગળ આવવા અપીલ કરું છું.
Aug 15, 2024 09:30 am
ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા એ સમયની જરૂરિયાત છે: પીએમ
પીએમ મોદીએ કહ્યું કે ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા એ સમયની જરૂરિયાત છે. ધર્મના આધારે ભેદભાવથી મુક્તિ જરૂરી છે. પરિવારવાદ અને જાતિવાદથી મુક્તિ જરૂરી છે. આધુનિક સમાજમાં ખોટા કાયદાને કોઈ સ્થાન નથી.
Aug 15, 2024 09:15 am
પીએમ મોદીએ બાંગ્લાદેશ પર વાત કરી
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં કેટલાક લોકો ભ્રષ્ટાચારનો જયજયકાર કરી રહ્યા છે. તંદુરસ્ત સમાજ માટે આ ચિંતાનો વિષય છે. ભ્રષ્ટાચારીઓમાં ભયનું વાતાવરણ ઊભું કરવું જરૂરી છે. તેમની સામે કાર્યવાહી ચાલુ રહેશે. પીએમ મોદીએ કહ્યું કે બાંગ્લાદેશમાં જે પણ થયું તે ચિંતાનો વિષય છે. આશા છે કે ત્યાંની સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે. ત્યાંના હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. ભારત ઇચ્છે છે કે પડોશી દેશો શાંતિના માર્ગ પર રહે. આવનારા દિવસોમાં બાંગ્લાદેશની વિકાસયાત્રામાં અમારી શુભકામનાઓ જ રહેશે.
Aug 15, 2024 09:04 am
'કેટલાક લોકો દેશની પ્રગતિ જોઈ શકતા નથી'
પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો દેશની પ્રગતિ જોઈ શકતા નથી. આપણે આવા લોકોથી બચવું જોઈએ. તેઓ માત્ર પોતાના ફાયદા જુએ છે. આપણે નિરાશાવાદી તત્વોથી બચવું પડશે.
Aug 15, 2024 08:52 am
પીએમ મોદીએ મહિલાઓ પર થતા અત્યાચાર પર વાત કરી હતી
પીએમ મોદીએ કહ્યું કે દીકરીઓ પર અત્યાચાર થાય છે. સરકારોએ મહિલા અત્યાચારને ગંભીરતાથી લેવો જોઈએ. મહિલાઓ સામેના ગુનાઓની ગંભીરતાથી તપાસ થવી જોઈએ. દેશમાં આક્રોશ છે. સજા અંગે ઝડપથી ચર્ચા કરવી જરૂરી છે, જેથી ગુનેગારોમાં ભય પેદા થાય.
Aug 15, 2024 08:45 am
PM મોદીની યુવાનો માટે મોટી જાહેરાત
PM મોદીએ લાલ કિલ્લા પરથી કરી મોટી જાહેરાત. તેમણે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે આગામી 5 વર્ષમાં મેડિકલ ક્ષેત્રમાં 75 હજાર સીટો વધારવામાં આવશે.

Aug 15, 2024 08:29 am
આજે દેશ આકાંક્ષાઓથી ભરેલો છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે દેશ આકાંક્ષાઓથી ભરેલો છે. અમારો પ્રયાસ દરેક સેક્ટરમાં કામની ઝડપ વધારવાનો છે. પહેલા આપણે સેક્ટરમાં નવી તકો ઊભી કરીએ. બીજું, બંધારણમાં ફેરફાર કરો અને નાગરિકોની સુવિધાઓ પર ધ્યાન આપો. આજે સમાજ પોતે શ્રદ્ધાથી ભરેલો છે. અમે જુસ્સા સાથે આગળ વધી રહ્યા છીએ. અમે માથાદીઠ આવક બમણી કરવામાં સફળ થયા છીએ. પીએમ મોદીએ કહ્યું કે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે.

Aug 15, 2024 08:21 am
જો નીતિ અને ઇરાદા સાચા હોય તો ચોક્કસ પરિણામો પ્રાપ્ત થાય છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આપણે સદીઓની બેડીઓ તોડી નાખી છે. દરેક ક્ષેત્રમાં નવી આધુનિક સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. દરેક ક્ષેત્રમાં આધુનિકતાની જરૂર છે. અમે તેને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છીએ. પીએમએ કહ્યું કે પ્રતિબંધો હટાવવા જોઈએ. તમારા સપનાને સિદ્ધ કરતા રહો. આપણે એ દિશામાં આગળ વધવાનું છે. અમે 10 વર્ષ ગામડાની મહિલાઓ માટે કામ કર્યું. તેમને આત્મનિર્ભર બનાવ્યા. 10 કરોડ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી. ભારતીય સીઈઓ વિશ્વભરમાં ખ્યાતિ મેળવી રહ્યા છે. આ મારા માટે પણ એટલી જ ગર્વની વાત છે. પીએમ મોદીએ કહ્યું કે અમે સ્પેસ સેક્ટરમાં સુધારા કર્યા છે. યુવાનોએ આ ક્ષેત્ર પર ધ્યાન આપવાની જરૂર છે. જ્યારે નીતિ અને ઇરાદા સાચા હોય છે, ત્યારે અમે ચોક્કસ પરિણામો પ્રાપ્ત કરીએ છીએ.

Aug 15, 2024 08:15 am
યુવાનો, ખેડૂતો, મહિલાઓ ગુલામી સામે લડતા રહ્યાઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, 'આજે એવા મહાન લોકો જેઓ રાષ્ટ્રીય સંરક્ષણ માટે સંપૂર્ણ સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે દેશની રક્ષા કરી રહ્યા છે અને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. તે આપણા ખેડૂતો, આપણા સૈનિકો, આપણા યુવાનોની હિંમત, આપણી માતાઓ અને બહેનો, દલિતો, શોષિત અને વંચિતોનું યોગદાન છે. મુશ્કેલીઓ વચ્ચે સ્વતંત્રતા પ્રત્યેની તેમની નિષ્ઠા, લોકશાહી પ્રત્યેની તેમની નિષ્ઠા સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી ઘટના છે. આઝાદી પહેલાના એ દિવસો યાદ કરો. સેંકડો વર્ષની ગુલામી અને તેનો દરેક સમય સંઘર્ષ હતો. યુવાનો હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય કે આદિવાસીઓ હોય... તેઓ ગુલામી સામે યુદ્ધ લડતા રહ્યા.

Aug 15, 2024 08:00 am
અમે કોરોના સમયગાળા દરમિયાન કરોડો લોકોને રસી આપી: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળવું મહત્વપૂર્ણ છે. દલિતો અને આદિવાસીઓ આ વસ્તુઓની ગેરહાજરીમાં જીવતા હતા. અમે આ માટે પ્રયત્નો કર્યા અને પરિણામો બધાની સામે છે. અમને ખુશી છે કે આજે દરેક જિલ્લો ઉત્પાદનો બનાવી રહ્યો છે. આજે સમગ્ર વિશ્વ ભારત પાસેથી કંઈક ને કંઈક શીખી રહ્યું છે. કોરોના સમયગાળા દરમિયાન, અમે કરોડો લોકોને રસી આપી.

Aug 15, 2024 07:57 am
2047 સુધીમાં 'વિકસિત ભારત' બની શકીશું: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે અને છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતી આફતોને કારણે અમારી ચિંતાઓ વધી રહી છે. કુદરતી આફતમાં ઘણા લોકોએ પોતાના પરિવારના સભ્યો અને સંપત્તિ ગુમાવી છે. દેશને પણ નુકશાન થયું છે. આજે, હું તે બધા પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને હું તેમને ખાતરી આપું છું કે આ દેશ સંકટની આ ઘડીમાં તેમની સાથે છે. લાલ કિલ્લા પર પીએમ મોદીએ કહ્યું કે, આજે આપણે 140 કરોડ લોકો છીએ, જો આપણે સાથે મળીને એક દિશામાં આગળ વધીએ આપણે વિકાસ કરીશું, તો જ આપણે આપણા માર્ગમાં આવતા તમામ અવરોધોને દૂર કરી શકીશું અને 2047 સુધીમાં 'વિકસિત ભારત' બની શકીશું.

Aug 15, 2024 07:56 am
અમે અસંખ્ય નાયકોને સલામ કરીએ છીએઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે એક શુભ ક્ષણ છે જ્યારે આપણે દેશ માટે શહીદ થનારા, દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરનારા, જીવનભર સંઘર્ષ કરનારા, ફાંસી પર ચડનારા અને ભારત માતા કી જયના નારા લગાવનારાઓને યાદ કરીએ છીએ. અમે નાયકોને સલામ કરીએ છીએ.

Aug 15, 2024 07:44 am
આઝાદીના દિવાનાઓને નમન કરવાનો આ પર્વ : PM Modi
દેશભરમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે લાલ કિલ્લા પરથી સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું છે કે આઝાદીના દિવાનાઓને નમન કરવાનો આ પર્વ છે. આઝાદીના લડવૈયાઓનું સ્મરણ કરવાનો આ પર્વ છે. તેમના કારણે આજે આપણે આઝાદ ભારતમાં રહીએ છીએ. આ દેશ આઝાદીના લડવૈયાઓનો ઋણી છે. આજે દેશને આપણે નવી ઉંચાઇ પર લઇ જવા પ્રયત્નશીલ છીએ, દેશના દરેક વર્ગની સ્વતંત્રતા પ્રત્યે નિષ્ઠા પ્રેરક ઘટના છે. છેલ્લા થોડા વર્ષોથી કુદરતી આપત્તિની ચિંતા વધી રહી છે. કુદરતી આપદામાં અનેક લોકોએ મોટું નુક્સાન વેઠ્યુ છે.

Aug 15, 2024 07:35 am
પીએમ મોદીએ તિરંગો ફરકાવ્યો
વરસાદ વચ્ચે પીએમ મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો. તેઓ થોડા સમયમાં રાષ્ટ્રને સંબોધિત કરશે.

Aug 15, 2024 07:32 am
વરસાદ વચ્ચે લાલ કિલ્લા પર ઉત્સવનું વાતાવરણ
દિલ્હીમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ વચ્ચે લાલ કિલ્લા પર આઝાદીની ઉજવણી થઈ રહી છે. પીએમ મોદી પણ અહીં હાજર છે. આ ઉપરાંત ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને વિપક્ષી નેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે. થોડા સમય બાદ પીએમ મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે.
Aug 15, 2024 07:28 am
PM મોદી લાલ કિલ્લા પહોંચ્યા
પીએમ મોદી લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. તેઓ અહીં ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ પછી પીએમ મોદી તિરંગો ફરકાવશે.

Aug 15, 2024 07:19 am
પીએમ મોદી રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
પીએમ મોદી રાજઘાટ પહોંચ્યા છે. તેઓ અહીં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. આ પછી પીએમ મોદી લાલ કિલ્લા પહોંચશે. તેઓ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે.

Aug 15, 2024 07:14 am
પીએમ મોદી રાજઘાટ પહોંચ્યા
પીએમ મોદી રાજઘાટ પહોંચી ગયા છે. તેઓ અહીં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. આ પછી પીએમ મોદી લાલ કિલ્લા પહોંચશે. તેઓ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે.
Aug 15, 2024 07:10 am
રાહુલ ગાંધી લાલ કિલ્લા પહોંચ્યા
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. આ સમારોહમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મંત્રી અને જેડીએસ નેતા કુમારસ્વામી પણ લાલ કિલ્લા પર પહોંચી ગયા છે.

Aug 15, 2024 07:08 am
સ્નાઈપર્સ અને AI કેમેરા લાલ કિલ્લા પર નજર રાખશે
15 ઓગસ્ટે, લાલ કિલ્લા માટે 7 સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનિકથી સજ્જ સ્નાઈપર્સ અને ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ કેમેરા છે, જે સેકન્ડોમાં કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલને પકડી શકે છે. આ કેમેરા લાલ કિલ્લાની આસપાસના રસ્તાઓથી લઈને લાલ કિલ્લા સુધી લગાવવામાં આવ્યા છે.
Aug 15, 2024 07:00 am
લાલ કિલ્લાનો રંગ લાલ નહોતો, રાષ્ટ્રગીત 1947ની 15ઓગસ્ટે નક્કી થયું
આપણો રાષ્ટ્રધ્વજ ઘણા પરિવર્તનો બાદ વર્તમાન રૂપમાં આવ્યો છે. હાલનો તિરંગો 1921માં તમિલનાડુના ખેડૂત પિંગલી વેંકૈયાએ બનાવ્યો હતો. શરૂમાં ધ્વજમાં કેસરી અને લીલો રંગ જ હતા. વચ્ચે સફેદ પટ્ટો અને તેમાં અશોક ચક્રનો વિચાર મહાત્મા ગાંધીએ આપ્યો હતો. કેસરી રંગ સાહસ અને બલિદાનનું, લીલો રંગ વિશ્વાસ અને શૌર્યનું જ્યારે સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. ભારતે વર્તમાન રાષ્ટ્રધ્વજ 1947ની 22 જુલાઇએ અપનાવ્યો હતો.
Aug 15, 2024 06:59 am
આજે ભારતનો 78મો સ્વતંત્રતા દિવસ
આજે ભારતનો 78મો સ્વતંત્રતા દિવસ છે. જેમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઇ રહી છે. તેમાં PM મોદી લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવશે. PM મોદી સતત 11મી વખત ધ્વજ ફરકાવશે. વિકસીત ભારત@2047ની થીમ પર ઉજવણી કરાશે. લાલ કિલ્લા ખાતે સુરક્ષા દળો શક્તિ પ્રદર્શન કરશે. તેમજ લાલ કિલ્લા પરથી PM મોદી દેશને સંબોધિત કરશે. PM મોદીના સંબોધન પર વિશ્વની નજર છે. PM મોદી દેશના વિકાસની રૂપરેખા જાહેર કરશે. સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં 6 હજાર મહેમાનોને આમંત્રણ છે.
Aug 15, 2024 06:54 am
નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી
નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી. CM ભૂપેન્દ્ર પટેલ નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવશે. CM ભૂપેન્દ્ર પટેલ સવારે 9 વાગ્યે ધ્વજવંદન કરશે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલ રાજ્યની જનતાને સંબોધન કરશે. 118 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ થશે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ થશે.

Morbi : સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના વહેલી સવારે આકસ્મિક ધામા, ફાયર સેફ્ટી અને ટોયલેટ જોઇ આપી કડક સૂચના

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ

Bollywood Actor : બે છૂટાછેડા અને 3 બાળકો બાદ આમિર ખાન 61 વર્ષની ઉંમરે ગૌરી સ્પ્રેટ સાથે કરશે લગ્ન?

Shani Vakri 2026: 27 જુલાઇએ શનિ થશે વક્રી, આ એક રાશિએ ખાસ સંભાળવું

Uttar Pradesh : ડૉક્ટરે 8 હજારમાં હાડકું જોડ્યું, બાકીના પૈસા ન મળતા બળજબરીથી મરોડીને ફરીથી તોડી નાખ્યું!

Karnataka Politics: જેણે RSSને કહ્યું ભારતીય તાલિબાન.. તે બીકે હરિપ્રસાદ બન્યા કર્ણાટક કોંગ્રેસના નવા અધ્યક્ષ

Stock Market Opening: US Iran વચ્ચે તણાવથી શેરબજારમાં ચિંતા, સેન્સેક્સ 299.46 પોઇન્ટ ઘટ્યો

Bollywood Actor : બે છૂટાછેડા અને 3 બાળકો બાદ આમિર ખાન 61 વર્ષની ઉંમરે ગૌરી સ્પ્રેટ સાથે કરશે લગ્ન?