ઓપરેશન સિંદૂર બાદ ફરી એકવાર યુદ્ધના સાયરન સાંભળવા મળશે. પાકિસ્તાન સરહદ સાથે સંકળાયેલા 4 રાજ્યોમાં મોકડ્રિલ હાથ ધરાશે. જેમાં પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે. 31 મેના રોજ મોકડ્રિલ કરવામાં આવશે. દર મહિને પાકિસ્તાન સરહદ સાથે સંકળાયેલા વિસ્તારોમાં મોકડ્રિલ યોજવામાં આવશે. આ કવાયતમાં સિમ્યુલેટેડ હુમલાઓ અને આપત્તિના દ્રશ્યો ફરી દર્શાવવામાં આવશે. સામાન્ય જનતા અને સુરક્ષા એજન્સીઓ ભાગ લેશે.


'ઓપરેશન શીલ્ડ' નામની મોકડ્રિલ

'ઓપરેશન શીલ્ડ' નામની મોકડ્રિલ હવે 31 મેના રોજ યોજાશે. તેનો હેતુ ભારત-પાકિસ્તાન સરહદ પરના રાજ્યોની કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે અને તૈયારીઓનું પરીક્ષણ કરવાનો છે. 31મીએ મોકડ્રિલ, પશ્ચિમ સરહદી રાજ્યો 'ઓપરેશન શીલ્ડ' માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ કવાયત જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં હાથ ધરાશે. દેશની સુરક્ષા તૈયારીઓ અને નાગરિક સુરક્ષા દળોની સતર્કતા ચકાસવા માટે 'ઓપરેશન શીલ્ડ' નામની બીજી નાગરિક સંરક્ષણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કવાયત 29 મેના રોજ યોજાવાની હતી પરંતુ વહીવટી કારણોસર તેને મુલતવી રાખવામાં આવી હતી.

મોકડ્રિલથી શું થશે?

કવાયત દરમિયાન, મોક હુમલો, આપત્તિની સ્થિતિ, વિસ્ફોટ, ગેસ લીકેજ, આગચંપી અને સામૂહિક ઘૂસણખોરી જેવી પૂર્વધારણાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક નાગરિકોને પણ આમાં સામેલ કરવામાં આવશે. જેથી કટોકટીની પરિસ્થિતિમાં જનતા અને વહીવટ વચ્ચે સંકલનનું પરીક્ષણ કરી શકાય.ભારતની પશ્ચિમ સરહદ લાંબા સમયથી સંવેદનશીલ રહી છે. આવી સ્થિતિમાં, આ કવાયત માત્ર એક કવાયત નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો એક ભાગ છે. 

  • Follow us on: