દુનિયાની સામે પાકિસ્તાનના આતંકનો પર્દાફાશ કર્યા બાદ હવે પ્રતિનિધિમંડળ ભારત પાછુ ફરી રહ્યું છે. ભાજપના સાંસદ વૈજયંત જયપાંડાના નેતૃત્વમાં ગયેલું પ્રતિનિધિત્વમંડળ કાલે ભારત પાછુ ફરશે. ભારત પાછા ફર્યા બાદ પ્રતિનિધિમંડળ વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી પણ ઓપરેશન સિંદૂર બાદવિદેશોમાં મોકલેલા ડેલિગેશન સાથે મુલાકાત કરશે. 


સર્વદળીય પ્રતિનિધિમંડળના ભારત પરત આવવા પર પ્રધાનમંત્રી મોદી તેમના મેમ્બરોને દુનિયાના તમામ દેશોના વ્યવહાર અને પ્રતિનિધિમંડળ અંગે ફીડબેક લઈ શકે છે. આ સિવાય પ્રતિનિધિમંડળમના પ્રમુખ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે. તેઓ પોતાના આ વિદેશ પ્રવાસ અંગે માહિતી આપશે.  

પ્રતિનિધિમંડળના મેમ્બરો પાકિસ્તાન અને આતંકવાદને લઈને દુનિયાના દેશોને માહિતી આપી રહ્યા છે. તેમનું કેટલું અને કેવું ફીડબેક રહ્યું અને ભારતને દુનિયાના દેશોનું કેવું સમર્થન મળ્યું તેની જાણકારી વિદેશ મંત્રીને આપશે. ત્યારબાદ તેઓ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરીને તેમને જાણકારી આપશે

જણાવી દઈએ કે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનના આતંકનો પર્દાફાશ કરવા માટે દુનિયાના તમામ દેશોમાં ભારતના 7 સર્વદળીય પ્રતિનિધિમંડળને મોકલવામાં આવ્યું હતું. તેમણે દુનિયાના દેશો સમક્ષ ભારતનો પક્ષ મુક્યો હતો. જેની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. 



  • Follow us on: