- દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભયંકર પૂર, ભૂસ્ખલન, અચાનક પૂર જેવી આફતો આવી છે
- અંતરિયાળ અને સરહદી વિસ્તારોના ગામડાઓનો સંપર્ક કપાઈ ગયા છે
- સેના આવા અલગ-અલગ ગામોને ફરી જોડવામાં વ્યસ્ત છે
ભારતીય સેનાના સૈનિકો... પછી તે દુશ્મન સાથેનું યુદ્ધ હોય કે જીવ બચાવવાની કવાયત હોય. દરેક જગ્યાએ તેઓ સૌથી આગળ અને શ્રેષ્ઠ સ્થિતિમાં રહે છે. હાલમાં દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભયંકર પૂર, ભૂસ્ખલન, અચાનક પૂર જેવી આફતો આવી છે. અંતરિયાળ અને સરહદી વિસ્તારોના ગામડાઓનો સંપર્ક કપાઈ ગયા છે. સેના આવા અલગ-અલગ ગામોને ફરી જોડવામાં વ્યસ્ત છે.
સેના આવી મદદે
સેનાના જવાનો દૂત બનીને મદદે આવ્યા છે લોકોને આપત્તિગ્રસ્ત વિસ્તારોમાંથી બચાવી રહ્યા છે. આવી સ્થિતિમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભારતીય સેનાની ત્રિશક્તિ કોર્પ્સના સૈનિકો એટલે કે એન્જિનિયરો ઝડપથી વહેતી નદી પર ઝૂલતો પુલ બનાવી રહ્યા છે. આ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે બે સૈનિકો પોતાનો જીવ જોખમમાં મૂકીને પુલ બનાવી રહ્યા છે. નીચે કાળ મોઢુ ફાડીને રાહમાં મીટ માંડીને બેઠો છે.

નીચે નદીનો પ્રવાહ લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે
નીચે નદીનો પ્રવાહ લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે. નદીની આ ગતિ ગમે ત્યારે મોતનું કારણ બની શકે છે. આખરે 48 કલાકની સખત મહેનત બાદ 150 ફૂટ લાંબો ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો છે. આ પછી, દુર્ઘટનાથી સંપર્ક વિહોણા બનેલા આ ગામના લોકોને આ પુલ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
સિક્કિમમાં આવી દુર્ઘટના શા માટે થાય છે?
તાજેતરમાં સિક્કિમમાં ભયંકર ભૂસ્ખલન થયું હતું. જેના કારણે છ લોકોના મોત થયા હતા. 1500 થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા. આ ઘટના મંગન જિલ્લાની છે. અહીં બનેલો નવો પુલ પણ ભૂસ્ખલનના કારણે તૂટી ગયો હતો. મંગલ જિલ્લા સાથેનું જોડાણ પોતે જ સમાપ્ત થઈ ગયું હતું. ગયા વર્ષે પણ 3 ઓક્ટોબરની રાત્રે તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું હતું.
ગયા વર્ષે સિક્કિમમાં અચાનક પૂરના કારણે 88,400 લોકો પ્રભાવિત થયા હતા
આ ફ્લેશ ફ્લડ ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ પૂર હતું. એટલે કે GLOF. 2013માં કેદારનાથ અને 2021માં ચમોલીમાં પણ આવી જ દુર્ઘટના બની હતી. ગયા વર્ષે સિક્કિમમાં અચાનક પૂરના કારણે 88,400 લોકો પ્રભાવિત થયા હતા. જેમાં 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 76 લોકો ગુમ થયા હતા. 33 પુલ ગાયબ થઈ ગયા હતા. બે સરકારી ઇમારતો અને 16 રસ્તાઓને નુકસાન થયું હતું.