• ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટના ક્રૂ મેમ્બરને એક પત્ર મળ્યો
  • વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી
  • બોમ્બની ધમકી મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ

ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટના ક્રૂ મેમ્બરને એક પત્ર મળ્યો જેમાં વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. બોમ્બની ધમકી મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ અને મામલાની તપાસ શરૂ કરી દીધી. સૌ પ્રથમ, ઈન્ડિગો ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે ઉતારવામાં આવ્યા હતા અને પ્લેનની શોધખોળ કરવામાં આવી હતી. એરપોર્ટ પર એરક્રાફ્ટને આઇસોલેટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલો મામલો નથી જ્યારે વિમાનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય. અગાઉ પણ આવી ધમકીઓ આપવામાં આવી છે.

મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી 

હવે ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટ પર બોમ્બની ધમકી આપવામાં આવી છે. શનિવારે સવારે લગભગ 8.40 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ઈન્ડિગોના ક્રૂ મેમ્બરને ફ્લાઈટમાં એક નોટ મળી જેમાં લખ્યું હતું લેન્ડ કરશો નહી, બોમ્બથી ઉડી જશો. આ પછી સનસનાટી મચી ગઈ હતી. આ અંગે સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. નિર્ધારિત પ્રોટોકોલ મુજબ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઈન્ડિગોના આ પ્લેનને એરપોર્ટ પર અલગ રાખવામાં આવ્યું છે. તેમજ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: