- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જમ્મૂ કશ્મીરના પ્રવાસે
- જમ્મૂ કશ્મીરમાં સપ્ટેમ્બરમાં યોજાશે વિધાનસભા ચૂંટણી
- શ્રીનગરમાં કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધીની બેઠક
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. રાહુલ ગાંધી ગુરુવારે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, જેમ અમને ખબર પડી કે ચૂંટણી યોજાવાની છે, અમે અહીં સૌથી પહેલા આવ્યા. તેમણે કહ્યું કે અમે લોકોને એ સંદેશ આપવા માંગીએ છીએ કે તમે અમારા માટે પહેલા છો, રાજ્ય છીનવી લેવામાં આવ્યું છે અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યું છે. જમ્મુના લોકો જે ડર સાથે જીવે છે તેને અમે ખતમ કરવા માંગીએ છીએ.
રાહુલ ગાંધીએ કહ્યું, હું જમ્મુ-કાશ્મીરના લોકોને પ્રેમ કરું છું. આ સંબંધ ઘણો જૂનો છે. આ હૃદયનો સંબંધ છે. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાં નિર્ભયતાથી કામ કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધન થશે, પરંતુ કોંગ્રેસના કાર્યકરોની અવગણના ન કરવી જોઈએ.













