• કપાટ ખૂલતા પહેલાં અનુષ્ઠાન ચાર દિવસ પહેલાં એટલે કે 21મી એપ્રિલના રોજ શરૂ થશે
  • કપાટ ખૂલતા જ બાબાના દરબારમાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ શરૂ થઇ જ
  • 21 એપ્રિલના રોજ ડોલી ઉખીમઠથી કેદારનાથ માટે રવાના થશે

ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ ધામના કપાટ કયારે ખૂલશે, તેની જાહેરાત થઇ ગઇ છે. શનિવારના રોજ મહાશિવરાત્રિ પર ઉખીમઠમાં પરંપરાગત પૂજા-અર્ચના બાદ પંચાંગની ગણતરી બાદ કેદારનાથ મંદિરના કપાટ ખોલવાના લઇને મૂહુર્ત નક્કી કરાયું છે. આ વર્ષે કેદારનાથ મંદિરના કપાટ મેઘ લગ્નમાં ખૂલશે. 

મળતી માહિતી પ્રમાણે કેદારનાથ મંદિરના કપાટ 25 એપ્રિલના રોજ મેઘ લગ્નમાં સવારે 6:20 મિનિટ પર ખૂલશે. કેદારનાથ મંદિરના કપાટ ખૂલતાની સાથે જ બાબાના દરબારમાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ શરૂ થઇ જશે.

કેદારનાથ મંદિરના કપાટ ખૂલતા પહેલાં નિભાવાતી પરંપરા, અનુષ્ઠાન ચાર દિવસ પહેલાં એટલે કે 21મી એપ્રિલના રોજ શરૂ થઇ જશે. કહેવાય છે કે 21મી એપ્રિલના રોજ ડોલી શીતકાલીન હાદી સ્થળ ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠથી કેદારનાથ માટે રવાના થશે.

બાબા કેદારની પગપાળા ડોલી યાત્રા 24 એપ્રિલના રોજ કેદારનાથ પહોંચશે. પગપાળા ડોલી યાત્રાના ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠથી કેદારનાથ પહોંચ્યા બાદ બીજા દિવસે સવારે 6:20 મિનિટ પર કેદારનાથ મંદિરના કપાટ ખૂલશે.


  • Follow us on: