• મતગણતરીને લઇને સ્પષ્ટ થઇ રહ્યુ છે ચિત્ર
  • આંધ્રપ્રદેશમાં ટીડીપી જોવા મળી રહી છે આગળ
  • પીએમ મોદીએ ચંદ્રબાબુ નાયડુ સાથે કરી વાત

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે. અત્યાર સુધીના ચૂંટણી પરિણામો અનુસાર એનડીએને 292 બેઠકો મળી રહી છે જ્યારે ઇન્ડિ. ગઠબંધનને 233 અને અન્યને 18 બેઠકો મળી રહી છે, આ બધા વચ્ચે ઘણા રાજકારણીઓ પોતાના પક્ષને મજબૂત કરવા માટે એક બીજા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે . આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલુગુ દેશમ પાર્ટીના ચીફ ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક કર્યો છે. ખાસ વાત એ છે કે ચંદ્રબાબુ નાયડુએ 2024ની વિધાનસભા ચૂંટણીમાં આંધ્રપ્રદેશમાં મોટી જીત મેળવી છે અને ટીડીપી એનડીએનો ભાગ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદીએ આંધ્રના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી છે.


પીએમ મોદીએ 'કિંગ મેકર' સાથે વાત કરી

જો કે બંને નેતાઓ વચ્ચે શું વાત થઇ તે સ્પષ્ટ થયુ નથી.. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા જ ચંદ્રબાબુ નાયડુએ ફરીથી NDA સાથે હાથ મિલાવ્યા છે. બીજેપીએ આંધ્રપ્રદેશમાં પવન કલ્યાણની પાર્ટી જનસેના અને ટીડીપી સાથે મળીને લોકસભાની ચૂંટણી લડી છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પહેલા NDAએ બે એવા નેતાઓને પોતાની તરફ લીધા જેમણે દેશમાં સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આંધ્રમાં ચંદ્રબાબુ નાયડુ બિહારમાં નીતિશ કુમારને એનડીએ સાથે લાવવામાં સફળ રહ્યા હતા. એક તરફ પીએમ મોદીએ ચંદ્રાબાબુ નાયડુ સાથે વાત કરી હોવાના સમાચાર છે તો બીજી તરફ સૂત્રોનું માનીએ તો કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ નીતિશ કુમારનો સંપર્ક કર્યો છે.


NDA ની બનશે સરકાર !

મહત્વનું છે કે  લોકસભાની કુલ 543 સીટો છે અને જીતવા માટે 272 સીટો જરૂરી છે. જો કે હાલના ટ્રેન્ડ મુજબ એનડીએ જીતની નજીક જણાઈ રહ્યું છે, પરંતુ તમામ એક્ઝિટ પોલ જે એનડીએની જંગી જીત દર્શાવે છે તે ખોટા સાબિત થઈ રહ્યા છે. બપોરે 2 વાગ્યા સુધી NDAએ 290 સીટો જીતી લીધી છે.

  • Follow us on: