- લોકસભા ચૂંટણી 2024માં બહેરામપુર સીટથી ક્રિકેટર યુસુફ પઠાણે જીત મેળવી
- કોંગ્રેસના દિગ્ગજ નેતા અધિરરંજનનો રાજકાર છોડવાની લગાવી હતી શરત
- 41 વર્ષીય યુસુફ પઠાણ બહેરામપુર સીટ પર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી
ક્રિકેટર યુસુફ પઠાણે લોકસભા ચૂંટણી 2024માં બહેરામપુર સીટથી જીત મેળવી છે. તૃણમૂલ કોંગ્રેસ (AITC) વતી ચૂંટણી લડનારા યુસુફ પઠાણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીને હરાવ્યા હતા. યુસુફ પઠાણ 2007 અને 2011માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો સભ્ય રહી ચૂક્યો છે. યુસુફ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની આઈપીએલ વિજેતા ટીમનો સભ્ય પણ રહી ચૂક્યો છે.
41 વર્ષીય યુસુફ પઠાણ બહેરામપુર સીટ પર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને બીજેપી નેતા નિર્મલ કુમાર સાહા સામે ચૂંટણી લડી રહ્યા હતા. યુસુફ પઠાણને 4,08,240 મત મળ્યા હતા. તેમણે છેલ્લી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રહેલા અધીર રંજન ચૌધરીને 59,351 મતોથી હરાવ્યા હતા. અધીર રંજન ચૌધરીને 3,48,889 વોટ મળ્યા. ભાજપના નેતા લગભગ 3,12,876 મતો સાથે ત્રીજા સ્થાને છે.













