- મલ્લિકાર્જુન ખડગેના આરોપ પર ECIનું રિએક્શન
- આ ભ્રમ ફેલાવવાનો જાણીજોઈને પ્રયાસ: EC
- "તમામ તથ્યો વિનાના અને 'પક્ષપાતી અને ભ્રમ ફેલાવવાનો"
લોકસભા ચૂંટણીને લઇ તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં ગેરવહીવટ-વોટિંગ ડેટા જાહેર કરવામાં વિલંબ કરવાના આરોપ અંગે ચૂંટણી પંચે પાયાવિહોણા ગણાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલા આરોપોનો જવાબ આપતા ચૂંટણી પંચે કહ્યું કે આ ભ્રમ ફેલાવવાનો જાણીજોઈને પ્રયાસ છે.
મળતી માહિતી મુજબ, ભારતના ચૂંટણી પંચે ગેરવહીવટ અને મતદાન ડેટા જાહેર કરવામાં વિલંબના આરોપોને નકારી કાઢ્યા હતા. ચૂંટણી પંચે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેના આરોપો પાયાવિહોણા છે આ સાથે તમામ તથ્યો વિનાના અને 'પક્ષપાતી અને ભ્રમ ફેલાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ' છે.













