મહાકુંભમાં થયેલી નાસભાગની ઘટનાને લઇને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વિટર પર પોસ્ટ શેર કરતા આ ઘટનાને લઇને દુઃખની લાગણી વ્યક્ત કરી છે. મહત્વનું છે કે નાસભાગમાં 10થી વધારે લોકોના મોત થયા હોવાના સમાચાર છે. જો કે હાલ સ્થિતિ નિયંત્રિત છે.
પીએમ મોદીએ કર્યુ ટ્વિટ
પ્રયાગરાજ મહાકુંભમાં બનેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા ભક્તો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ સાથે, હું તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં, મેં મુખ્યમંત્રી યોગીજી સાથે વાત કરી છે અને હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું.
સીએમ યોગીએ રેલ્વે મંત્રી સાથે વાત કરી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ફોન પર વાત કરી છે. સીએમ યોગીએ રેલ્વે મંત્રીને પ્રયાગરાજથી શક્ય તેટલી વધુ ટ્રેનો ચલાવવા કહ્યું છે. પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા આવેલા લોકો ઝડપથી અને સરળતાથી શહેર છોડી શકે તે માટે વધુ ટ્રેનો દોડાવવી જોઈએ.
રામભદ્રાચાર્યએ કરી આ અપીલ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. મૌની અમાવસ્યાના દિવસે કરોડો લોકો સંગમમાં સ્નાન કરવા માટે અહીં પહોંચ્યા છે. જોકે, ભારે ભીડને કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા હતા, જેના કારણે મહાકુંભમાં ભાગદોડ જેવી સ્થિતિના અહેવાલો છે. આ ભાગદોડમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. હવે આ ઘટના પછી, જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ મહાકુંભમાં આવેલા ભક્તોને ખાસ અપીલ કરી છે. ફક્ત સંગમમાં સ્નાન કરવાનો આગ્રહ છોડી દો. જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યજીએ કહ્યું - "હું બધા ભક્તોને અપીલ કરું છું કે આજે પ્રયાગરાજમાં ભારે ભીડ હોવાથી, તેઓએ ફક્ત સંગમ ઘાટ પર પવિત્ર ડૂબકી લગાવવાનો આગ્રહ ન રાખવો જોઈએ.













