• મણિપુરમાં સીઆરપીએફ અને સ્ટેટ પોલિસીની ટીમ પર હુમલો
  • સીઆરપીએફ જવાન થયા શહીદ
  • જીરીબામ જિલ્લામાં બની ઘટના


મણિપુરના જીરીબામમાં અજાણ્યા હથિયારધારી શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. સીઆરપીએફ અને સ્ટેટ પોલીસની સંયુક્ત ટીમ પર હુમલો કરવામાં આવ્યો. જેમાં એક જવાન શહીદ થયા. છે જ્યારે 3 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.  મહત્વનું છે કે બદમાશોએ આ હુમલો જુલાઇના રોજ સવારે 9 કલાક અને 40 મિનિટે કર્યો હતો. 

3 જવાનો ઘાયલ

મહત્વનું છે કે સીઆરપીએફની 20 બટાલિયન અને જીરીબામ જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ એકસાથે ઓપરેશનમાં રોકાયેલી હતી. દરમિયાન બદમાશોએ સંયુક્ત ટીમ પર હુમલો કર્યો. હુમલા સમયે લગભગ ત્રણ સૈનિકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. આ સિવાય સીઆરપીએફના એક જવાનનું ગોળી વાગવાથી મોત થયું હતું. પોલીસના અહેવાલ મુજબ સંયુક્ત સુરક્ષા દળની ટીમ 13 જુલાઈના રોજ થયેલી ગોળીબારની ઘટના સાથે સંબંધિત સર્ચ ઓપરેશન હાથ ધરવા માટે જીરીબામ જિલ્લા પોલીસ સ્ટેશન હેઠળના મોનબંગ ગામ નજીક જઈ રહી હતી. તે દરમિયાન આ ઘટના બની.

શહીદ સૈનિક ક્યાંના રહેવાસી? 

હુમલામાં શહીદ થયેલો જવાન સીઆરપીએફનો ભાગ હતો. આ દરમિયાન જીરીબામ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર (SI) સહિત રાજ્યના ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. શહીદ થયેલા CRPF જવાનની ઓળખ બિહારના રહેવાસી અજય કુમાર ઝા (43) તરીકે થઈ છે.


  • Follow us on: