12 સીટો પર હજુ પણ વિવાદ
મહાયુતિના સૂત્રોના જણાવ્યા અનુસાર પાલઘર, બોઈસર, વસઈ, નાલાસોપારાને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે સહમતિ બનવાની બાકી છે. જ્યારે બડગાંવ શેરી, અષ્ટી અને તાસગાંવની સીટો પર ભાજપ અને એનસીપી વચ્ચે સંકલન થવાનું બાકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગૃહમંત્રીએ મહાયુતિના ત્રણેય નેતાઓને સૂચના આપી હતી કે, આ સીટો માટે ઉમેદવારોની સંખ્યાબળ અને તેમની જીતની પ્રબળ સંભાવનાને પ્રાધાન્ય આપીને પરસ્પર સંમતિથી ઉમેદવારો નક્કી કરવા જોઈએ.
આ ફોર્મ્યુલા પાર્ટીઓ વચ્ચે નક્કી કરાઈ હતી
આ સંદર્ભમાં ભાજપ લગભગ 155/156 સીટો પર ચૂંટણી લડશે, શિવસેના શિંદે લગભગ 82/83 સીટો પર અને NCP 50/51 સીટો પર ચૂંટણી લડશે. ભાજપના પ્રવક્તા કેકે શર્માએ કહ્યું કે, મહારાષ્ટ્રને લઈને બેઠકો થતી રહે છે. અમે દરેક ચૂંટણીને ગંભીરતાથી લઈએ છીએ. ભાજપ ગઠબંધનને બહુમતી મળવાનું નિશ્ચિત છે.
મહાયુતિ 31 વિધાનસભા સીટોને લઈને વધુ ગંભીર
જો કે, મહાયુતિ રાજ્યની 31 વિધાનસભા સીટોને લઈને વધુ ગંભીર છે. મહાયુતિ માટે પડકાર મરાઠવાડા, પશ્ચિમ મહારાષ્ટ્ર અને મુંબઈ ઉપનગરની બેઠકો છે, જ્યાં મહાવિકાસ આઘાડીએ લોકસભા ચૂંટણીમાં લીડ લીધી હતી.
આ સીટો પક જીત-હારનો તફાવત ખૂબ જ ઓછો
જો આપણે છેલ્લી વિધાનસભા (2019)ના આંકડાઓ પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સીટોમાંથી 31 બેઠકો એવી હતી, જ્યાં જીત-હારનો તફાવત પાંચ હજારથી ઓછો હતો. 2019ની વિધાનસભા ચૂંટણીમાં નજીકની હરીફાઈમાં આ 31માંથી મહાયુતિએ 15 સીટો અને મહાવિકાસ આઘાડીએ 16 સીટો જીતી હતી. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આ સીટો પર ભાજપ મહાયુતિની સંખ્યા સુધારવા માટે સખત પ્રયાસ કરી રહી છે.
31 વિધાનસભા સીટો મહત્વની
31 સીટો એવી હતી કે જેના પર 2019માં સખત સ્પર્ધા હતી. તેમાં ધુલે, નેવાસા, ભોકરદન, પુસદ, રામટેક, હદગાંવ, ભોકર, નયાગાંવ, દેગલાર, મુખેડ, ઉદગીર, અહેમદપુર, સોલાપુર સેન્ટ્રલ, શિરોલ, કરાડ ઉત્તર, કરાડ દક્ષિણ, સાંગોલા, મહાડી, પુણે કેન્ટ, માવલ, ચેમ્બુર, ચાંદીવલી , માજલગાંવ, ભાંડુપ, મલાડ વેસ્ટ, ડીંડોસી, નાસિક સેન્ટ્રલ, દહાણુ અને ધુલે શહેરનો સમાવેશ થાય છે.
લોકસભામાં મહાયુતિને 17 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો
જો કે, લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધનને મહારાષ્ટ્રમાં 30 સીટો મળી હતી. વોટના આંકડાની વાત કરીએ તો મહાવિકાસ અઘાડીને 158 વિધાનસભા સીટો પર લીડ મળી છે. બીજી તરફ મહાયુતિને લોકસભામાં 17 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. આ ગઠબંધન 125 વિધાનસભા ચૂંટણીમાં આગળ હતું. દેખીતી રીતે બન્ને ગઠબંધનની લીડમાં 33 વિધાનસભા સીટોનો તફાવત હતો.
લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન પછી ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ વિવિધ સરકારી યોજનાઓ માટે તિજોરી ખોલી હતી, જ્યારે ભાજપે માઇક્રો મેનેજમેન્ટમાં વ્યસ્ત છે જેથી આંકડાઓને તેની તરફેણમાં બદલી શકાય.