- પીએમ મોદીએ પ્રથમ કેબિનેટ બેઠક યોજી અને મંત્રાલયોની વહેંચણી કરી
- પીએમ મોદીએ કેટલાક મંત્રાલયો પણ પોતાની પાસે રાખ્યા
- પીએમ મોદીએ કર્મચાર, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય પોતાની પાસે રાખ્યું
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા બાદ NDA સરકારની રચના કરવામાં આવી હતી. ગઈકાલે રવિવારે (09 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સાથી મંત્રીઓ સાથે શપથ લીધા અને આજે સોમવારે (10 જૂન) તેમણે પ્રથમ કેબિનેટ બેઠક યોજી અને મંત્રાલયોની વહેંચણી કરી. મંત્રાલયોની વહેંચણીમાં અગાઉની સરકારની ઝલક જોવા મળી છે. ટોચના 4 ના મંત્રાલયો જેની પાસે હતા તેમને આપવામાં આવ્યા હતા. સાથે જ પીએમ મોદીએ કેટલાક મંત્રાલયો પણ પોતાની પાસે રાખ્યા છે.
પીએમ મોદીએ કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા વિભાગ, અવકાશ વિભાગ, તમામ મહત્વપૂર્ણ નીતિ મુદ્દાઓ તેમજ અન્ય તમામ વિભાગો જાળવી રાખ્યા છે જે કોઈપણ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી.
પીએમ મોદી સાથે કામ કરશે ડો.જિતેન્દ્ર સિંહ
ખાસ વાત એ છે કે ડૉ. જિતેન્દ્ર સિંહ PM મોદી સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), વડાપ્રધાનમાં રાજ્ય મંત્રી તરીકે કામ કરશે. મંત્રી કાર્યાલય, કર્મચારી, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલયમાં રાજ્ય મંત્રી, અણુ ઉર્જા વિભાગમાં રાજ્ય મંત્રી અને અવકાશ વિભાગમાં રાજ્ય મંત્રીની જવાબદારી આપવામાં આવી છે. આમાં મોટાભાગના વિભાગ એવા છે કે જેની જવાબદારી પીએમ મોદીએ પોતાની પાસે રાખી છે.
શાહ સિહતના નેતાઓને મળ્યા પોતાના જ જુના ખાતા
આ ઉપરાંત ગત વખતની જેમ ગૃહ મંત્રાલય અમિત શાહ પાસે છે, રક્ષા મંત્રાલય પણ છેલ્લી વખતની જેમ રાજનાથ સિંહને આપવામાં આવ્યું છે. એ જ રીતે વિદેશ મંત્રાલય એસ. જયશંકર, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે નીતિમ ગડકરી પાસે રહેશે અને નાણા મંત્રાલય નિર્મલા સીતારમણ પાસે રહેશે.
મનસુખ માંડવિયાને મળ્યું અનુરાગ ઠાકુરનું મંત્રાલય
નવા ચહેરાઓમાં જેપી નડ્ડા તેમજ આરોગ્ય તેમજ રસાયણો અને ખાતર, શિવરાજ સિંહ ચૌહાણ કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રાલય, મનસુખ માંડવિયાને રમતગમત તેમજ ખાદ્ય પ્રક્રિયા મંત્રાલય અને મનોહર લાલ ખટ્ટરને હાઉસિંગ અને અર્બન અફેર્સ સાથે ઉર્જા મંત્રાલય આપવામાં આવ્યું હતું.