મુંબઈના કુર્લા ઈસ્ટમાં રવિવારે સાંજે એક રહેણાંક મકાનમાં લાગેલી આગને બે કલાકની જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી. ફાયર વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું કે સ્વસ્તિક પાર્ક નજીક શિવાજી નગર SRA બિલ્ડીંગમાં સાંજે લગભગ 7 વાગ્યે આગ લાગી કે તરત જ તમામ રહેવાસીઓને સમયસર બહાર કાઢવામાં આવ્યા. તેમણે કહ્યું કે આગ ગ્રાઉન્ડ ફ્લોરથી 15મા માળ સુધી પાવર લાઇન ડક્ટ સુધી મર્યાદિત હતી.


તમામને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા

અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેમણે કહ્યું કે બિલ્ડિંગમાં કોઈ ફસાયું નથી કારણ કે તમામ રહેવાસીઓને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા. આગ ઓલવવા માટે ચાર ફાયર એન્જિન, ત્રણ જમ્બો ટેન્કર અને ઘણા કર્મચારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા.

આ પહેલા 7 જાન્યુઆરીએ મહારાષ્ટ્રના મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલી બહુમાળી ઈમારતના 11મા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી

આ પહેલા 7 જાન્યુઆરીએ મહારાષ્ટ્રના મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલી બહુમાળી ઈમારતના 11મા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી. બિલ્ડીંગમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડની એક ડઝન જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

  • Follow us on: