• બિહારમાં નીટ પેપરલીકનો મામલો
  • ઉપમુખ્યમંત્રીએ તેજસ્વી યાદવના પીએસ પર ઉઠાવ્યા હતા સવાલ
  •  ઇકોનોમિક ઓફેન્સ યુનિટ પીએસની કરી શકે પૂછપરછ

નીટ પેપર લીક મામલે તેજસ્વી યાદવના પ્રાઇવેટ સેક્રેટરીનો હાથ હોવાનો ગઇકાલે ડે.સીએમ વિજય સિન્હાએ દાવો કર્યો હતો. જેને લઇને ઇકોનોમિક ઓફેન્સ યુનિટ દ્વારા પ્રિતમ કુમારની પૂછપરછ થઇ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે EOU પ્રીતમને EOU ઓફિસમાં પૂછપરછ માટે બોલાવશે અને ત્યાં તેની પૂછપરછ કરશે.

પ્રિતમ કુમારની થઇ શકે પૂછપરછ

મહત્વનું છે કે પેપર લીકના માસ્ટર માઇન્ડ સિકંદર કુમાર યાદવેન્દુ સાથે પ્રીતમ કુમારના સીધા જોડાણ વિશે ઘણા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. સિકંદર યાદવેન્દુ માટે સરકારી ગેસ્ટ હાઉસ બુક કરવાથી લઇને પોસ્ટિંગ સુધી પ્રિતમ કુમારની ભૂમિકા સામે આવી રહી છે. ત્યારે EOU તેની પુછપરછ કરવાની તૈયારીમાં છે.

ઉપમુખ્યમંત્રીએ શું કહ્યું હતુ ?

 બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ પણ ઘણા તથ્યો જાહેર કર્યા હતા. તેમણે જણાવ્યું કે મળતી માહિતી મુજબ 1 મેના રોજ તેજસ્વીના પીએસ પ્રિતમ કુમારે RCD કર્મચારી પ્રદીપને NHAI ગેસ્ટ હાઉસમાં સિકંદર કુમાર માટે રૂમ બુક કરાવવા માટે ફોન કર્યો હતો. વિજય કુમાર સિન્હાએ જણાવ્યું કે 4 મેના રોજ પ્રીતમ કુમારે પ્રદીપ કુમારને રૂમ બુક કરવા માટે ફરીથી ફોન કર્યો. તેજસ્વી યાદવ માટે ‘મંત્રી’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આખો પરિવાર કૌભાંડોથી ભરેલો છે. પિતા લાલુ યાદવ ચારા કૌભાંડ અને પુત્ર તેજસ્વી યાદવ NEET પેપર કૌભાંડ. તેજસ્વી યાદવના પીએએ સિકંદર માટે ગેસ્ટ હાઉસ બુક કરાવ્યું હતું. સિકંદર એ જ વ્યક્તિ છે જેણે NEETનું પેપર લીક કર્યું હતું.

  • Follow us on: