- યુવાનોની ઓસ્ટ્રેલિયા-કેનેડા બીજી પસંદગી
- રાઘવ ચઢ્ઢાના સવાલ પર વિદેશ મંત્રાલયનો જવાબ
- નાગરિકતા છોડવા પાછળ અંગત કારણો આપ્યા
દેશની નાગરિકતા છોડનારા ભારતીયોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. વિદેશ મંત્રાલયે સ્વયં આ જાણકારી આપી છે. જેમાં તેમણે નાગરિકતા છોડવા પાછળ અંગત કારણો જવાબદાર ગણાવ્યા છે. પંજાબના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં પ્રશ્ન પૂછ્યા બાદ વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે.
વિદેશ મંત્રાલયનું કહેવું છે કે 2019માં 1,44,017 ભારતીયોએ નાગરિકતા છોડી છે. જ્યારે 2020માં 85256 લોકોએ, 2021માં 1,63,370 અને 2022માં 2,25,620 લોકોએ નાગરિકતા છોડવાનો નિર્ણય કર્યો હતો. ગયા વર્ષે 2023માં 2 લાખ 16,000 લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે.













