એલજેપીના સુપ્રીમો ચિરાગ પાસવાનની સામે એનડીએની અંદર અને બહાર ઘણા પડકારો ઉભા છે. બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની ગણતરી શરુ થઇ છે. અને ચિરાગ એક મોટા લક્ષ્ય સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. ચિરાગે જાહેરાત કરી છે કે, તેની પાર્ટી તમામ 243 બેઠકો પર ચૂંટણી લડશે. પરંતુ ચૂંટણીનો માર્ગ તેમના માટે સરળ નથી.


પડકારો વધુ જટિલ

ચિરાગ પાસવાનને પાર્ટીની અંદર અને બહારના પડકારો વધુ જટિલ બનાવી રહ્યા છે. વર્ષ 2020માં ચિરાગ એનડીએથી અલગ થઇને 140 બેઠક પર ચૂંટણી લડ્યા હતા. જેના કારણે જેડીયુને 28 બેઠક પર નુકસાન થયુ હતુ. ત્યારે આ વખતે ચિરાગે નીતીશ કુમાર પર બિહારમાં કાયદો-વ્યવસ્થા મામલે ઘણા પ્રહારો કર્યા છે. જેના કારણે સહયોગી દળોએ ચિરાગ પાસવાન પ્રતિઆરોપ લગાવ્યા છે. ભાજપે નીતીશ કુમારને સીએમ પદ માટે સમર્થન આપ્યુ છે. પરંતુ ચિરાગ અમુક સ્થળોએ સમિતી થતા દેખાઇ રહ્યા છે.

ચિરાગની પ્રતિભા સમિતી ?

તેજસ્વી યાદવે ચિરાગ પાસવાનના કાયદો-વ્યવસ્થાવાળા નિવેદનને 'સત્તાની લાલચ' અને 'કમજોરી' ગણાવ્યુ હતુ. તો સાથે જ પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી પણ ચિરાગ માટે પડકાર બની છે. નિષ્ણાંતોનું માનવું છે કે, ચિરાગ ભાજપના ઇશારે કામ કરે છે. અને ભાજપની પ્રાથમિકતા નીતીશ કુમારને આગળ રાખવાની છે. જેના કારણે ચિરાગની પ્રતિભા સમિતી થતી દેખાઇ રહી છે. ચિરાગ સામે ઘણા પડકારો છે. જેમકે તેજસ્વી યાદવની લોકપ્રિયતા, પ્રશાંત કિશોરની અપીલ યુવાઓને તેમની તરફ ખેંચે છે. જે ચિરાગ પાસવાનના અભિયાન 'બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ'ને કમજોર કરી શકે છે. 

  • Follow us on: