લોકસભામાં વિદેશમંત્રી એસ.જયશંકરનું આક્રમકરૂપ જોવા મળ્યુ હતુ. વિપક્ષના પ્રત્યેક આરોપ પર તેઓએ સટીક પ્રતિક્રિયા આપી હતી. 'ઓપરેશન સિંદૂર' મામલે તેઓએ વિરોધ પક્ષના તમામ પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. વિદેશમંત્રીએ જણાવ્યુ હતુ કે, પાકિસ્તાનનો અસલી ચહેરો દુનિયા સમક્ષ આવ્યો છે. તેની બેવડી નીતિના કારણે તે UNSCમાં બેનકાબ થયુ છે.


વિદેશમંત્રીનું લોકસભામાં સંબોધન

વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યુ હતુ કે, તેઓ ચીન ગયા હતા. ચીનમાં સરહદ પર તણાવ ઓછો કરવો, ટ્રેડ અને અન્ય વિષય પર પોતાનું સ્ટેન્ડ સુધારવા ગયા હતા. સીક્રેટ સૌદા માટે તેઓ ચીન ગયા ન હતા. એસ.જયશંકરે વધુમાં જણાવ્યુ હતુ કે, ડોકલામમાં જ્યારે આપણી સેના સામે ચીનની સેના હતી. ત્યારે વિરોધ પક્ષના નેતા તેમના નિવાસસ્થાને ચીનના રાજદૂત સાથે બ્રીફિંગ લેતા હતા. સીમા પર આતંકવાદીઓ સામે પડકાર હજુ યથાવત્ છે. ભારત પરમાણુ બ્લેકમેલ સહન નહીં કરે. વિદેશમંત્રીએ કહ્યુ હતુ કે, આતંકની સામે ઝીરો ટોલરન્સ નીતિ છે.

આતંકની સામે ઝીરો ટોલરન્સ નીતિઃ વિદેશમંત્રી

વિદેશમંત્રી એસ.જયશંકરે લોકસભામાં કહ્યુ હતુ કે, સંયુક્ત રાષ્ટ્રએ પણ પાકિસ્તાનના હુમલા મામલે નિંદા કરી છે. પાકિસ્તાને ટીઆરએફનો બચાવ કર્યો છે. 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાન પર પોતાની ધાક જમાવી છે. અને આતંકીઓના ઠેકાણાને ધ્વસ્ત કર્યા છે. 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાડોશી દેશને જડબાતોડ જવાબ આપ્યો છે. અને સાથે જ સ્થાનિકોને નુકસાન નહી પહોંચે તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. 'ઓપરેશન સિંદૂર'ના માધ્યમથી પાકિસ્તાનને સખ્ત સંદેશો પાઠવવામાં આવ્યો છે. સિક્યોરીટી કાઉન્સિલમાં પાકિસ્તાન સહિત માત્ર 3 દેશોએ 'ઓપરેશન સિંદૂર'નો વિરોધ કર્યો હતો. 

  • Follow us on: