તમિલનાડુના રાજકારણમાં એક નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. ટીવીકે (TVK) પ્રમુખ અને લોકપ્રિય અભિનેતા થલાપતિ વિજય આવતીકાલે એટલે કે શનિવારે સવારે 11 વાગ્યે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. વિજયે બહુમતી ધારાસભ્યોના હસ્તાક્ષરવાળી યાદી રાજ્યપાલ આર.વી. અર્લેકરને સોંપી દીધી છે, જેનાથી તેમની તાજપોશીનો માર્ગ મોકળો થયો છે.


રાજકીય ખેંચતાણ અને સમર્થન

છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા રાજકીય હંગામા બાદ આખરે ચિત્ર સ્પષ્ટ થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજયે રાજ્યપાલ સાથે ત્રીજી વખત મુલાકાત કરી હતી અને હાલમાં તેમને 118 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. જોકે, છેલ્લી ઘડીએ કેટલીક અડચણો જોવા મળી હતી, જેમાં VCK, AMMK અને IUML ના ધારાસભ્યોને સાથે લાવવા માટે હજુ પણ વાટાઘાટો ચાલી રહી હોવાનું મનાય છે.

ચેન્નઈમાં વિજય ઉત્સવ

શુક્રવાર સાંજથી જ વિજયના ચેન્નઈ સ્થિત નિવાસસ્થાનની આસપાસ 'ટીવીકે, ટીવીકે' ના નારા ગુંજી રહ્યા છે. અભિનેતામાંથી નેતા બનેલા વિજયના ચાહકો અને પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમિલનાડુના આગામી મુખ્યમંત્રી તરીકે વિજયની પસંદગી થતા રાજ્યભરમાં ઉજવણીનો માહોલ છે. આવતીકાલનો શપથ ગ્રહણ સમારોહ ભવ્ય રહેવાની શક્યતા છે, જેમાં અનેક દિગ્ગજ હસ્તીઓ હાજરી આપી શકે છે.

આ પણ વાંચો:West Bengal:ભાજપ સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં આયુષ્માન યોજના લાગુ, મમતાની 'સ્વાસ્થ્ય સાથી યોજના' તેનાથી કેટલી અલગ છે?

  • Follow us on: