વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 79મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે દેશના દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં આવનારી ટેકનોલોજી આધારિત પડકારોનો સામનો કરવા માટે વર્ષ 2035 સુધીમાં ‘સુદર્શન ચક્ર’ નામે એક રાષ્ટ્રીય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવશે.


મિશન પાછળની પ્રેરણા ભગવાન શ્રીકૃષ્ણના સુદર્શન ચક્રથી મળી

વડાપ્રધાન કહ્યુ કે આ મિશન પાછળની પ્રેરણા ભગવાન શ્રીકૃષ્ણના સુદર્શન ચક્રથી મળી છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે આ મિશન સાથે સંકળાયેલ તમામ રિસર્ચ, વિકાસ અને ઉત્પાદન ભારતના યુવાનો દ્વારા ભારતમાં જ કરવામાં આવશે. તેમણે મહાભારતનું ઉદાહરણ આપતાં કહ્યું કે કેવી રીતે શ્રીકૃષ્ણે પોતાના સુદર્શન ચક્રથી સુર્યને ઢાંકીને દિવસમાં અંધારૂ કરી દીધુ હતુ. જેના કારણે અર્જુન પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી શક્યો હતો. તે જ રીતે ભારતનું ‘સુદર્શન ચક્ર’ મિશન પણ શત્રુના દરેક હુમલાને નિષ્ફળ બનાવશે અને બેગણી શક્તિ સાથે પલટવાર કરવામાં સક્ષમ રહેશે.

શા માટે ‘સુદર્શન ચક્ર’ જરૂરી છે?

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ મિશન હેઠળ એક શક્તિશાળી હથિયાર પ્રણાળી વિકસાવવામાં આવશે, જે માત્ર દુશ્મનોના હુમલાઓને રોકશે નહીં,પરંતુ તેમના પર નિર્ણાયક પ્રહાર પણ કરશે. તેઓએ ઉમેર્યું કે આ મિશન માટે જરૂરી તમામ રિસર્ચ અને વિકાસ દેશના યુવાનોએ અને વૈજ્ઞાનિકોએ જ કરવાના છે. તેમજ આગામી 10 વર્ષમાં આ મિશનને સંપૂર્ણ તેજસ્વી રીતે આગળ વધારવા માટે કેટલાક મૂળભૂત સિદ્ધાંતો પણ નક્કી કરશે.

  • Follow us on: